Surat: તહેવારોને લઈને વેપારીઓએ 70 ટકા સુધી પ્રોડક્શન કર્યું શરૂ, ઓવર પ્રોડક્શનથી રહેશે દૂર

તહેવારોની સિઝન શરૂ થતાં બજારમાં ફરી રોનક પાછી આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જોકે હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ ઓર્ડર પ્રમાણે જ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે અને ઓવર પ્રોડક્શનથી બચી રહ્યા છે.

Surat: તહેવારોને લઈને વેપારીઓએ 70 ટકા સુધી પ્રોડક્શન કર્યું શરૂ, ઓવર પ્રોડક્શનથી રહેશે દૂર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 8:39 PM

કોરોનાનો મુશ્કેલ ભર્યો સમય શરૂ થયો ત્યારથી જ સુરતના વેપારીઓ માટે જાણે કપરા દિવસો શરૂ થયા હતા. કોરોનાના સમય દરમ્યાન લોકડાઉન અને તે પછી અનલોકમાં માર્કેટો ભલે ખુલી ગઈ હોય પણ એક્સપોર્ટ અટકી જવાના કારણે વેપારીઓએ મોટા નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારને આડે પણ હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તહેવારોની સિઝન કાપડ માર્કેટ માટે ખુબ જ મહત્વની મનાય છે. કારણ કે આ સીઝનમાં જ અન્ય રાજ્યોમાંથી સુરતમાં કાપડ માટે ખરીદીના ઓર્ડર આવે છે. હવે ફરી એકવાર જ્યારે તહેવારોની મોસમ શરૂ થવાની છે, ત્યારે સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ તેમની પ્રોડક્શન ક્ષમતા કરતા 70 ટકા સુધીનું પ્રોડક્શન કરી રહ્યા છે.

કોરોનાની બીજી લહેર બાદ હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓને હવે તહેવારોની સીઝન શરૂ થતાં નવી આશા દેખાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે ટેક્ષટાઈલ માર્કેટની પ્રોડકટોની વધારે ડિમાન્ડ હોય છે. ત્યારે ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આ બે મોટા તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં વેપારીઓ દ્વારા કુર્તા, લહેંગા, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ વેપારીઓને કોરોનાની ત્રીજી લહેરનો ડર હોવાથી હાલ તેઓ જરૂર પૂરતું જ પ્રોડક્શન કરી રહ્યા છે. ઓવર પ્રોડક્શનથી વેપારીઓ બચી રહ્યા છે અને ખાસ કરીને જે વેપારીઓને ઓર્ડર મળી રહ્યા છે તે પ્રમાણે માલ તૈયાર કરીને સુરત બહારના વેપારીઓને મોકલી રહ્યા છે.

ફોસ્ટાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે હવે શહેરના વેપારીઓ દ્વારા તહેવારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વેપારીઓ વધારે પ્રોડક્શન નથી કરી રહ્યા. કોરોનાના કેસો ઘટતા હવે વેપારીઓને આવનારા તહેવારોને લઈને મોટી આશા છે. હાલ વેપારીઓ 70 ટકા સુધી પ્રોડક્શન કરી રહ્યા છે. આગામી દિવસોમાં સારો વેપાર મળે તેવી વેપારીઓને અપેક્ષા છે. જોકે એક વાત નક્કી છે કે હાલ કોરોનાના કેસો ઘટતા રાહત થઈ છે. પરંતુ તહેવારોની ખરીદી જોઈ વેપારીઓ ઓર્ડર તો લઈ રહ્યા છે, છતાં પણ તેઓ ઓવર પ્રોડક્શનથી બચી રહ્યા છે.

આ પણ વાંચો :Surat : સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 12 અત્યાધુનિક વેન્ટિલેટર લાવવામાં આવ્યા, ત્રીજી લહેરની સંભાવનાના ભાગરૂપે તૈયારી શરૂ

આ પણ વાંચો:  Surat : દેશના પાંચ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે સુરતના કાપડ વેપારીઓ બન્યા ચિંતાતુર

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">