Surat : ફરી છલકાઈ ઉઠી સુરતવાસીઓની માનવતા, સૌરાષ્ટ્ર માટે કીટ કરી રવાના
ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ખાતે 3500 કીટ રવાના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના 3500 પરિવારો સુધી આ કીટ પહોંચાડવામાં આવશે.
Surat: તાઉ તે (tauktae cyclone) વાવાઝોડાએ ગુજરાતમાં તારાજી સર્જી છે. જેની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. વાવાઝોડાના કારણે લોકોના ઘરવખરીના સામાનને ભારે નુકશાન પહોંચ્યું છે. કેટલાક લોકોએ પોતાના ઘર પણ ગુમાવ્યા છે તો કેટલાક લોકોને ખેતીમાં નુકસાન થયું છે.
આવા સમયે કોઈ પણ આપત્તિ વખતે સુરત મદદ માટે હંમેશા આગળ રહ્યું છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ખાતે 3500 કીટ રવાના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના 3500 પરિવારો સુધી આ કીટ પહોંચાડવામાં આવશે.
જેમાં 1500 કીટ ગીર ગઢડા, 1000 કીટ અમરેલી અને 1000 કીટ ભાવનગર ખાતે મોકલવામાં આવી હતી. આ કિટમાં ઘઉં, ચોખા સહિત કરીયાણા માટે જરૂરી વસ્તુઓ રાખવામાં આવી છે. આજે ભાજપ કાર્યાલય ખાતેથી આ કીટ રવાના કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોષ, મેયર હેમાલી બોઘાવાળા હાજર રહ્યા હતા.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે મુશ્કેલીના આ સમયમાં સુરત સૌરાષ્ટ્ર સાથે છે. રાજ્યમાં વધતા મ્યુકરમાઈકોસીસના કેસ બાબતે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ઈન્જેક્શન બાબતે તેમણે સરકાર સાથે ચર્ચા કરી છે. આ ઈન્જેક્શનની અછતનો પ્રશ્ન નહીં સર્જાય તેની ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: Corona Update India : દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા પણ મૃત્યુ નહી, કોરોનાથી આ 6 રાજ્યોમાં સૌથી વધારે મૃત્યુ