Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે.

Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત
Surat: Textile Traders Association submits to govt against decision to impose uniform rate of GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:35 PM

સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (SGTTA) દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નાણામંત્રી કનુ  દેસાઈને મળીને પહેલી જાન્યુઆરી,2022થી એક સમાન જીએસટી (GST) સ્લેબ લાગુ નહીં કરવા રજુઆત કરવામાં આવી છે. યાર્ન ઉપર હાલ 12 ટકા જીએસટી છે. અને ત્યારબાદ પ્રોસેસ, ગ્રે કાપડનું વેચાણ અને તૈયાર માલ ઉપર પાંચ ટકા જીએસટી છે. 

જો કે એક સરખો જીએસટી સ્લેબ જો કાપડ ઉધોગ પર લાગુ પાડવામાં આવે તો તેનાથી કાપડ ઉધોગ સાથે સંકળાયેલા તમામ લોકોની મુશ્કેલીમાં વધારો થશે એ નક્કી છે. પહેલી જાન્યુઆરીથી જીએસટીના એક સમાન સ્લેબ જે લાગુ પડવા જઈ રહ્યો છે તેણે સમગ્ર કાપડ ઉધોગકારોની ચિંતા વધારી દીધી છે.

કાપડ વેપારીઓનું કહેવું છે કે જો એકસરખા જીએસટી સ્લેબ લાગુ કરવામાં આવશે તો તેમની ઉપર આર્થિક બોજ વધશે, કોરોના સમય પછી હાલ તહેવારોને લઈને વ્યાપારની ગાડી માંડ માંડ પાટા પર આવી રહી છે તેમાં જો જીએસટીમાં જે બદલાવ આવવા જઈ રહ્યો છે તેના કારણે વેપારીઓની આર્થિક કમર ભાંગી પડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું પાંચ ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસરના ભાગરુપે કાપડ ઉત્પાદકો પર વર્ષે 1200થી વધુ કરોડનો વધારોનો કરબોજ આવશે તેવું છે. અને ગ્રાહકોને પણ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ મોંઘી લાગતા એકંદરે વેપાર જગતને મોટી નુકસાની ઉઠાવવાનો વારો આવશે તેવો ડર કાપડના વેપારીઓને લાગી રહ્યો છે. કાપડ અગ્રણીઓનું માનવું છે કે હાલની ઈન્વર્ટેડ ડ્યુટી હટાવવાથી સુરતના ઉદ્યોગકારો પર પાંચ ટકાનો બોજ પડશે.

તેમણે ઉમેર્યું હતું કે કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલા દરેક સ્તરને 12 ટકાને બદલે પાંચ ટકા જીએસટી કરી દેવાશે તો કાપડ ઉધોગ માટે સારું રહેશે. પરંતુ યાર્ન સિવાય પ્રોસેસ, ગ્રે કાપડના વેચાણ અને તૈયાર માલ પર પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવામાં આવશે તો જીએસટી ચોરીની સંભાવના વધી જશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉદ્યોગ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્ક્ચરને કારણે ટેક્સ્ટાઈલ વેપારીઓની મુશ્કેલી વધવાના અણસાર છે, ત્યારે સુરતમાં જે ઉદ્યોગકારો કાપડ મેન્યુફેક્ચરિંગ કરે છે તે યાર્ન પર હાલમાં 12 ટકા અને તૈયાર ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગુ છે. બંને તરફથી જીએસટી હોવાના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. હાલ ફિનિશડ કાપડ પરનો પાંચ ટકાનો જીએસટી દર હટાવીને તેને યાર્ન પર લાગુ જીએટી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : Surat : બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સરના ઠુમકા પર ચલણી નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Surat : મેટ્રો કોરિડોર માટે મહિધરપુરાના 51 પરિવારોને મકાન-દુકાન ખાલી કરવા નોટિસ, ન મળશે કોઈ વળતર કે ન મળશે આવાસ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">