કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે શનિવાર અને રવિવારના રોજ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ અને કોર્પોરેશનની બેઠકમાં લેવાયો છે. આ નિર્ણયને પગલે સુરતના 165 ટેક્સટાઈલ માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ સુધી જ ચાલુ રહેશે અને જે કારીગરો વતન ગયા છે તેમને પરત ન લાવવા માટે પણ તાકીદ કરાઈ છે. કોરોનાથી બચવા તમામ માર્કેટને નિયમિત સેનિટાઈઝ કરાશે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો: દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો