સુરત: સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીની કરી હત્યા, 8 વર્ષના દિકરાને માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો

|

Sep 19, 2020 | 4:38 PM

સુરત: બળદેવ સુથાર  શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે. મૂળ જામકંડોરણાના જામદાદર […]

સુરત: સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીની કરી હત્યા, 8 વર્ષના દિકરાને માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો

Follow us on

સુરત: બળદેવ સુથાર 

શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે. મૂળ જામકંડોરણાના જામદાદર ગામના અને સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીમાં રસિકભાઈ નસિતની પત્ની હર્ષાબેન(ઉ.વ.આ.35) અને 8 વર્ષના દીકરા સાથે રહે છે. હર્ષાબેન હીરાનું કામ કરે છે. દરમિયાન આજે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ પતિ રસિકે પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિએ પત્નીનો સાદો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનું જણાયું હતું. હાલ પોલીસે પતિ રસિકભાઈની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. આઠ વર્ષનો હર્ષાબેન રસિકભાઈ નસિતનો દિકરો ઉડાન સ્કૂલમાં ધોરણ-1માં અભ્યાસ કરી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દિકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે એક બાળક નોંધારું થયું કારણ કે બાળકની માતાની હત્યા, જ્યારે પિતા હવે જેલમાં તો બાળક નોંધારું થયું. હત્યા કરવા પાછળનું પ્રાથમિક તારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:33 pm, Fri, 28 August 20

Next Article