ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, આ પ્રકારના અનેક વિઘ્નહર્તા ગણેશજીના ગીતો હવે ઠેરઠેર સાંભળવા મળશે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણપતિને આવકારવા ભક્તો આતુર છે. સુરતમાં દર વર્ષની માફક આ વખતે પણ સરથાણા વિસ્તારના રહીશોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવી છે. પ્રદૂષણ અટકાવવા માટે માટી, પસ્તી અને પતરામાંથી રહીશોએ એક મહિનાની મહેનત બાદ મૂર્તિ બનાવી છે. ઘરે-ઘરે થી 55 થી 60 કિલો પસ્તી એકત્ર કરી તેનો માવો બનાવી, પાણીની નકામી બોટલો અને તેલના જૂના ડબ્બાનો ઉપયોગ કરી 7 થી 8 ફૂટની મૂર્તિ તૈયાર કરી છે. ફિનિશિંગ માટે છાણનો ઉપયોગ કરાયો છે. મૂર્તિનું વિસર્જન પણ રહીશો પોતાના જ વિસ્તારમાં કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO
[yop_poll id=”1″]
Published On - 7:48 am, Mon, 26 August 19