Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી

રક્ષાબંધન નિમિત્તે સુરત મનપાએ બહેનોને સીટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં મફત મુસાફરીની ભેંટ આપી છે.

Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી
Surat: On the day of Rakshabandhan, Surat Municipal Corporation gave a gift to the sisters to travel in the bus for free
Follow Us:
| Updated on: Aug 21, 2021 | 6:30 PM

Surat Corporation: રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થય અને પ્રગતિ માટે કામનાઓ કરતી હોય છે. ત્યારે ભાઈઓ પણ પોતાની બહેનોને જુદી જુદી ભેંટો આપતા હોય છે. દરમ્યાન રક્ષાબંધનના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બહેનોને અનોખી ભેંટ આપવામાં આવી છે.

રક્ષાબંધનના દિવસે શહેરમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં બહેનો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરમાં દોડતી તમામ રૂટની સીટી બસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવશે. અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને રક્ષાબંધનને લઈને કરવામાં આવ્યો છે. અને બહેનોને ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં પાલિકા દ્વારા દર વર્ષે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરી કરાવવામાં આવે છે. એક બાજુ કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે સીટી બસ સેવા અને બીઆરટીએસ બસસેવા બંધ કરવામાં આવી હતી. શહેરમાં આ સેવાનો લાભ અસંખ્ય મુસાફરો લેતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

જોકે હવે સ્થિતિ થોડી કાબુમા આવી છે. અને હવે મોટાભાગના રૂટોમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. હવે બીઆરટીએસના કુલ 13 રૂટ પર રોજના 1,10,000 મુસાફરો અને સિટીબસના કુલ 41 રૂટ પર રોજના 70 હજાર જેટલા મુસાફરો આ બસસેવાનો લાભ લે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે મનપા દ્વારા ખાસ બહેનોને અને 15 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકોને આ સેવા મફતમાં આપવાનો નિર્ણય મહાનગપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જેથી શહેરની બહેનો મોટી સંખ્યામાં પાલિકા દ્વારા ચાલતી આ બસસેવાનો લાભ લઇ શકે.

જોકે તે દરમ્યાન પણ બહેનોને સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન કરવા અને કોરોનાની બીજી ગાઇડલાઇનનો પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે. મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બહેનો પર આર્થિક બોજો ઓછો આવે અને બહેનો મુક્તમને ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

GANDHINAGAR : ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરશે, મુખ્યપ્રધાન રૂપાણી સાથે કરી મુલાકાત

Surat : શેરી શિક્ષણને છૂટ, તો ખાનગી શાળાને મનાઈ કેમ ? : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">