AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર

અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે. એટલું જ નહીં નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે.

Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર
Surat: Now 58 daily flights arrive at Surat airport, daily passenger number exceeds 3 thousand
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:33 PM
Share

ગત વર્ષે કોરોનાના કારણે સુરત એરપોર્ટ (Surat Airport) પર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવા પામ્યો હતો. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાના કારણે સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની (passengers) સંખ્યા ઘટી ગઈ હતી. પણ હવે ફરી એકવાર સુરત એરપોર્ટ કોરોના પહેલાની સ્થિતિમાં હતું તેવી મુસાફરોની ક્ષમતા સાથે ફરી એકવાર ધમધમવા લાગ્યું છે. 

30 ઓક્ટોબરે સ્પાઈસ જેટે તેના શિયાળાના સમયપત્રકમાં અચાનક સુરત એરપોર્ટ પર 7 ફ્લાઈટ બંધ કરી દીધી હતી. હવે GoFirst એ તેની ફ્લાઈટ્સથી આ ફ્લાઈટ્સની અછતને પૂરી કરી છે. 11 નવેમ્બરથી GoFirst સુરત એરપોર્ટથી દિલ્હીની બે અને કોલકાતા અને બેંગ્લોરની એક-એક ફ્લાઈટ સાથે શરૂ થઈ હતી. આ ફ્લાઇટ્સ દરરોજ કાર્યરત છે.

ચાર ગો ફર્સ્ટ ફ્લાઇટના આગમન સાથે, હવે સુરત એરપોર્ટ પર કુલ 58 ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થયું છે. તેમાંથી 29 ફ્લાઈટ્સ ઇનકમિંગ છે અને 29 આઉટગોઈંગ છે. જેના કારણે દૈનિક મુસાફરોની સંખ્યા ફરી ત્રણ હજાર જેટલી થઈ ગઈ છે.

સ્પાઈસજેટે અચાનક શિયાળાના સમય પત્રકમાંથી મુંબઈ, બેંગ્લોર, ઉદયપુર, હૈદરાબાદ, ભાવનગર, જબલપુર અને પટનાની ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ફ્લાઈટમાં આવતા-જતા 3500થી વધુ મુસાફરોને અસર થઈ હતી. નવા સમયપત્રક મુજબ હવે સુરત એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની માત્ર દિલ્હી, ગોવા અને જયપુર ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે.

સાત ફ્લાઇટમાં અચાનક ઘટાડો થવાને કારણે પેસેન્જર વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. હવે ગો ફર્સ્ટ એરલાઇન્સની ચાર ફ્લાઇટ્સ શરૂ થવાથી પેસેન્જર ગ્રોથમાં વધારો થયો છે. તમામ GoFirst ફ્લાઇટ્સમાં વપરાતું એરક્રાફ્ટ 186-સીટર છે, જ્યારે SpiceJetનું એરક્રાફ્ટ 78-સીટર હતું.

આમ, અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે, એટલું જ નહીં તેની સાથે સાથે નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે. હાલ દિવાળી વેકેશનમાં ભાડું વધારે હોવા છતાં ફ્લાઇટ મારફતે ફરવા જનારા લોકોની સંખ્યા સૌથી વધારે હતી. જેનો સીધો ફાયદો સુરત એરપોર્ટને થયો છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં તૈયાર થશે રાજ્યનો પહેલો બાયોડાયવર્સીટી પાર્ક, 86 હેકટર જગ્યામાં સાકાર થશે અર્બન ફોરેસ્ટ

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">