AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં

સુરતમાં હવે માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલ 37 ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે અને હજુ બીજી 100 બસો ખરીદવામાં આવનાર છે.

Surat માં હવે કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવવા તરફ આગળ વધી, બીજી 100 બસ લાઈનમાં
electric buses
| Updated on: Aug 19, 2021 | 5:08 PM
Share

મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા (SMC)ને અત્યાર સુધી 37 ઈલેક્ટ્રિક બસો પ્રાપ્ત થઈ છે. આ તમામ ઈલેક્ટ્રિક બસો હાલ ઓપરેટ કરવામાં આવી રહી છે. જે હેઠળ તમામ 37 બસોના ઓપરેશન પેટે ગુજરાત સરકાર પાસેથી 27.37 કરોડ રૂપિયાની વાયેબીલીટી ગેપ ફંડિગ મંજુર કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક બસોના ઓપરેશન માટે સુરત મનપાને જરૂરી વધારાના થતાં ખર્ચની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા સીએમયુબીએસ યોજના હેઠળ વીજીએફ અંતર્ગત ફાળવવામાં આવ્યા છે.

હાલ કાર્યરત 37 ઈલેક્ટ્રિક બસો માટે રાજ્ય સરકારે સુરત મનપા માટે વાર્ષિક 27.37 કરોડનું ફંડિંગ મંજુર કર્યું છે. જેના પ્રથમ હપ્તા પેટે 6.84 કરોડ રૂપિયાની રકમ રાજ્ય સરકારે મહાનગરપાલિકાને ફાળવી દીધી છે. વાર્ષિક ચાર તબક્કામાં આ રકમ મહાનગરપાલિકાને પ્રાપ્ત થશે. નોંધનીય છે કે પર્યાવરણની દષ્ટિએ સુરત મહાનગપાલિકા હવે માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં ઈલેક્ટ્રિક બસો પર વધુ ભાર મૂકી રહી છે.

હાલ 37 જેટલી ઈલેક્ટ્રિક બસ સુરત શહેરમાં ચાલી રહી છે અને બીજી 120 કરતા વધુ બસો સુરતમાં હજી આવનાર છે. એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી આ ઈલેક્ટ્રિક બસ સાતથી આઠ ટ્રીપ કરી શકે છે. બસની અંદર પણ ઘણી સુવિધા આપવામાં આવે છે. જેમ કે ડ્રાઈવર સીટ પાસે જીપીએસ સિસ્ટમ મુકવામાં આવી છે. બસ જ્યાં જાય તેનું લાઈવ ટ્રેકિંગ મળી શકે છે. બસની અંદર ફાયર ફાઈટિંગના સાધનો ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કેટલીક બસોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરોની બેઠક વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બસ ફુલ્લી એર કન્ડિશનર ધરાવે છે. મહિલા પેસેન્જરોની સીટની બાજુમાં ઈમરજન્સી પેનિક બટન મુકવામાં આવ્યું છે. તેમજ ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ સામાન્ય બસ કરતા ઈલેક્ટ્રિક બસમાં સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક બસની કિંમત 1.25 કરોડની થવા જાય છે.

ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક બસની સંખ્યા આજે 37 પર પહોંચી ગઈ છે અને આવનારા દિવસોમાં હજી બીજી 120 જેટલી બસો સુરતમાં આવશે. શહેરમાં જે રીતે પર્યાવરણનું પ્રદુષણ વધી રહ્યું છે, તેને જોતા ઈકો ફ્રેન્ડલી માસ ટ્રાન્સપોર્ટેશન તરફ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે.

આ પણ વાંચો : Surat : જો શાળા કોલેજોમાં કોરોનાના કેસ મળશે તો પ્રત્યક્ષ શિક્ષણ 7 દિવસ માટે બંધ

આ પણ વાંચો:  Surat : લોકો ક્યારે સુધરશે ? તાપી નદી કિનારે જુઓ દશામાની દુર્દશા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">