બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી

|

Jun 26, 2021 | 2:17 PM

સુરતના પાલ ઉમરા વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજના નામકરણને લઈને માંગ શરુ થઇ ગઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવા સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી
પાલ ઉમરા બ્રિજને ડો.બાબાસાહેબ આંબેડકર નામ આપવા માંગ

Follow us on

સુરતના પાલ ઉમરા વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવા સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. બ્રિજના નામકરણ બાબતે દ્વારા કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆતો પણ કરવામાં આવી છે. જો દસ દિવસ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાય તો ધરણા કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સુરત બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ 28 જેટલી સંસ્થાઓના આગેવાનો આ બાબતને સમર્થન આપી રહ્યા છે. ઉમરા પાલ પર તૈયાર થઇ રહેલ બ્રિજનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાખવામાં આવે. આ માટે 4 ડિસેમ્બર, 2019 ના રોજ મહાનગર પાલિકા કમિશનરને વિવિધ સમાજની 28 સંસ્થાઓના લેટરપેડ સાથે દરેક સંસ્થાઓના આગેવાનોએ જે તે સમયના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને બ્રિજના નામકરણ માટે રજૂઆત કરી હતી. જેનો જવાબ આજદિન સુધી મળ્યો નથી.

હાલના સમયમાં બ્રિજનું સંપૂર્ણપણે કામ પૂર્ણ થવાની આરે છે. અત્યાર સુધીમાં ઉમરા ગામથી પાલ ગામને જોડતા બ્રિજનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામ આપવામાં આવે તે માટે અનેક સંસ્થાઓએ સહમતિ દર્શાવીને માંગણી કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેને ધ્યાનમાં લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મનપા કમિશનરને આવેદનપત્ર આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, ભારતના ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઓનલાઇન ઈમેલ દ્વારા રજૂઆત કરી હતી. પરંતુ હજુ કોઈ નિર્ણય લેવામાં નથી.

અન્ય એક આગેવાને જણાવ્યું હતું કે સુરત શહેરમાં તાપી નદી પર આશરે 14 જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે. જે બ્રિજને રાષ્ટ્રના મહાન પુરુષો ના નામ આપીને નામકરણ કરવામાં આવ્યા છે. હાલ જે ઉમરા ગામ પાલ ગામને જોડતો બ્રિજ કાર્યરત છે તે બીજને ગણતંત્ર ઘડવૈયા અને માનવ અધિકાર માટે પોતાનું જીવન સમર્પિત કરી ચૂકેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવામાં આવે તો સુરત શહેરે બાબાસાહેબનું એક ઋણ ચુકવ્યું છે એવું કહી શકાય. જો દસ દિવસ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાય તો સમાજ દ્વારા બ્રિજ પાસે એક દિવસ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

આ પણ વાંચો: Surat : માજી સરપંચની ખોટી સહી કરી 268 મિલ્કતની નામ ફેરબદલી કૌભાંડનો 7 વર્ષ બાદ પર્દાફાશ

આ પણ વાંચો: ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેઈનકોટ અને છત્રીના બજારની સારી શરૂઆત, બોટલ છત્રી સૌથી વધુ ડિમાન્ડમાં

Next Article