AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મોટા વરાછાનો આ પુલ બની રહ્યો છે Suicide Point, પુલ પર ગ્રીલ ફીટ કરવા માગ

છેલ્લા ઘણા સમયથી પુલ પરથી કુદીને આત્મહત્યા (Suicide) કર્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ કોઇ વ્યક્તિ આ પુલ પરથી કુદીને મોતને વ્હાલુ ન કરે તે માટે કામરેજના ધારાસભ્યએ (MLA of Kamaraj) મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.

Surat : મોટા વરાછાનો આ પુલ બની રહ્યો છે Suicide Point, પુલ પર ગ્રીલ ફીટ કરવા માગ
Varachha-Chikuwadi Tapi bridge, Surat
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2022 | 2:53 PM
Share

સુરતના (Surat )મોટા વરાછા વિસ્તારમાં સિંગલ લાઇન વાળો પુલ ચાલુ કરી દેવામાં આવતા તે પુલ Suicide Point બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી પુલ પરથી કુદીને આત્મહત્યા કર્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ કોઇ વ્યક્તિ આ પુલ પરથી કુદીને મોતને વ્હાલુ ન કરે તે માટે કામરેજના ધારાસભ્યએ મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે. પુલ પર તાત્કાલીક ગ્રીલ ફીટ કરવામાં આવે તેને માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ (MLA VD Zalawadia) મનપાના કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.

એક સપ્તાહમાં બે યુવાનોએ પુલ પરથી ઝંપલાવ્યુ

વરાછા વિસ્તારમાં થોડા સમય પહેલાં જ મોટા વરાછા, સુદામાચોકથી ચીકુવાડી સુધીનો નનિર્મિત તાપી નદી પરનો સિંગલ લાઇનવાળો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પણ આ પુલ પર બંને બાજુ લોખંડની ગ્રીલ મુકવામાં આવી નથી. આ ગ્રીલ નહિ મૂકવાને કારણે આ સિંગલ લાઇન પુલ Suicide Point બની ગયો છે. છેલ્લા અઠવાડિયામાં આ પુલ પરથી બે નવયુવાનોએ કુદીને મોતને ગળે લગાવ્યુ છે. જેથી આ આ પુલ પરથી વધુ આત્મહત્યા ન થાય તે માટે રજુઆત કરવા ધારાસભ્ય આગળ આવ્યા છે.

ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ કરી રજુઆત

જો આ પુલ પર ગ્રીલ લગાવવામાં આવી હોત તો આ ઘટના ઘટતા પહેલા કોઇ રાહદારી તેઓને બચાવી પણ શકે એમ હતા. ભવિષ્યને ધ્યાને રાખીને આ પુલ પર તાત્કાલીક ગ્રીલ ફીટ કરવામાં નહિ આવે તો ઘણા બનાવો બની શકે એમ છે. તદુપરાંત આ પુલ પર ગ્રીલ ન હોવાના કારણે લોકો પિલર ઉપર ચડીને બેસે છે. જે ખુબ જ ગંભીર બાબત જણાય છે. પુલ પર ગ્રીલ નહિ હોવાના કારણે આકસ્મિક બનાવ બનવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક મોટા વરાછા-ચિકુવાડી પુલ પર ગ્રીલ ફીટ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા દ્વારા મનપા કમિશનર બંછાનિધિ પાનીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ જણાવ્યું કે ઘણા સમય પહેલાં મોટા વરાછા તરફ જતો સવજી કોરાટ પુલ પર ગ્રીલ ફીટ કરવામાં આવી ન હતી. તે સમયે હું એક્ટિવા મારફતે પુલ પર પસાર થઇ રહ્યો હતો, તે વખતે એક યુવતીને આત્મહત્યા કરવા જતાં જોતા મેં તેને બચાવી હતી. ત્યારબાદ આ પુલ પર ગ્રીલ લગાવડાવાની કામગીરી કરાવી આત્મહત્યા કરનારાને બચાવવાનું કામ કર્યું હતું. આ નવા પુલ પર પણ ગ્રીલ લગાવવામાં આવે તો આત્મહત્યાના બનાવો ઓછા થઇ શકે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">