સુરત: કોરોનાના દર્દીઓ માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા કોવિડ સેન્ટરમાં ટ્રેનર દ્વારા યોગ ગરબા અને ધ્યાનની પ્રેક્ટિસ

|

Sep 19, 2020 | 5:25 PM

સુરત: બળદેવ સુથાર  સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે નેગેટિવ માહોલ થઈ ગયો છે. ત્યારે કોરોના પોઝિટીવ દર્દીઓમાં હકારાત્મક ઉર્જા મળે તે માટે સુરતના કોવિડ કેર સેન્ટરમાં ખાસ યોગગરબા અને ધ્યાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને લોકો હતાશા અનુભવી રહ્યાં છે. ત્યારે આવા સમયે હકારાત્મક વાતાવરણ ઉભુ કરાઈ રહ્યાના કેટલાક દ્રશ્યો […]

સુરત: કોરોનાના દર્દીઓ માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા કોવિડ સેન્ટરમાં ટ્રેનર દ્વારા યોગ ગરબા અને ધ્યાનની પ્રેક્ટિસ

Follow us on

સુરત: બળદેવ સુથાર 

સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે નેગેટિવ માહોલ થઈ ગયો છે. ત્યારે કોરોના પોઝિટીવ દર્દીઓમાં હકારાત્મક ઉર્જા મળે તે માટે સુરતના કોવિડ કેર સેન્ટરમાં ખાસ યોગગરબા અને ધ્યાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને લોકો હતાશા અનુભવી રહ્યાં છે. ત્યારે આવા સમયે હકારાત્મક વાતાવરણ ઉભુ કરાઈ રહ્યાના કેટલાક દ્રશ્યો અલથાણના અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં સવારે જોવા મળી રહ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓ ધ્યાન સાથે યોગગરબાના તાલે ઝૂમી રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રેનર દ્વારા તૈયાર કરેલા યોગ સાથે ગરબાની પ્રેક્ટિસ દર્દીઓને કરાવાઈ રહી છે. એક તાળી, બે તાળી અને ત્રણ તાળી ગરબા તેમજ અર્વાચીન ગરબા અને હિંચ ગરબા વગેરેનું કોમ્બિનેશન કરીને તેમને ગરબાની અલગ-અલગ મુવમેન્ટ સેટ કરવામાં આવી છે. ટ્રેનર પીપીઈ કીટ પહેરીને દર્દીઓને યોગગરબાના અલગ અલગ મુવ્સ અને ધ્યાન કરાવે છે. જેમાં આજે 87 દર્દીઓ, 21 વોર્ડબોય, 12 નર્સ અને 6 ડૉકટરો પણ સાથે જોડાયા હતા. સેન્ટરમાં ડ્રાયફ્રૂટના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં દર્દીઓને સવારે ધ્યાન અને યોગ ગરબા કરાવવામાં આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્ચાર્જ કૈલાશ સોલંકીએ કહ્યું કે કોરોનાના ભયથી દર્દીઓ મુક્ત થાય અને તેમનામાં સકારાત્મક ઊર્જા આવે એ માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને તેઓ જલ્દીથી કોરોનાને માત આપી શકે. ઈન્ડિયન એકેડમી ઓફ ગરબા અને ડોઢિયાના અનિષ રંગરેજે કહ્યું કે અમે કોવિડ ગરબા ફીટનેસ માટે ઈનવેન્ટ કર્યા હતા. પરંતુ ડૉકટરો સાથે મળીને કોરોનાની પરિસ્થિતિમાં કોરોનાના દર્દી માટે સ્પેશિયલ પ્રોટોકોલ બનાવ્યો છે. જેથી તેમનો સ્ટ્રેસ ઓછો કરી શકાય અને તેમની ઈમ્યુનિટી વધારી શકાય અને પોઝિટીવિટી વધારી શકાય. કોવિડ પ્રોટોકોલમાં અલગ અલગ આસન,ધ્યાન અને યોગા કરાવાઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:11 pm, Thu, 27 August 20

Next Article