Surat : કોરોના મહામારી વચ્ચે કોલેજ સંચાલકોની આડોડાઈ, 14 કોલેજોએ હજી સુધી ફીમાં નથી આપી માફી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો.

Surat : કોરોના મહામારી વચ્ચે કોલેજ સંચાલકોની આડોડાઈ, 14 કોલેજોએ હજી સુધી ફીમાં નથી આપી માફી
Surat: College administrators clash amid Corona epidemic. 14 colleges have not yet waived fees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:57 AM

કોરોના મહામારી વચ્ચે વાલીઓ અને વિધાયરહીઓની હાલત કફોડી બની છે. ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં વિદ્યાર્થીઓને કનડતાં આર્થિક પ્રશ્નોને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો.

જોકે દક્ષિણ ગુજરાતની 14 કોલેજોએ ફી માફીનો લાભ આપ્યો ન હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સીટીએ અવારનવાર આ કોલેજોને ટકોર કરી હોવા છતાં પણ આ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપ્યો નથી. અને કોલેજ સંચાલકોએ પોતાની આડોડાઈ બતાવતા વિદ્યાર્થી આલમમાં નારાજગી વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે આ તમામ બાબત માટે અલગ અલગ વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને રજૂઆતો પણ કરવામાં આવી છે. પણ આજદિન સુધી વિદ્યાર્થીઓની માંગણીનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી.

યુનિવર્સીટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલેજોને પરિપત્ર કરીને ટ્યુશન ફીમાં 12 ટકા માફીનો લાભ અને જુદી જુદી કેટેગરીમાં અપાયેલા લાભ વિદ્યાર્થીઓને આપ્યો છે કે કેમ તે સંદર્ભે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. આમ, યુનિવર્સીટીના આદેશને પગલે અનુસ્નાતક અભ્યાસક્રમોની 14 અને અનુસ્નાતક અભ્યાસક્રમોની 77 કોલેજોએ એફિડેવિટ રજૂ કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પરંતુ તે પૈકી અનુસ્નાતક અભ્યાસક્ર્મની 4 અને સ્નાતક અન્યસક્ર્મની 10 કોલેજોએ ટ્યુશન ફીમાં 12 ટકા માફીનો લાભ આપ્યો ન હોવાનું ભાર આવ્યું હતું. યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હોવા છતાં ખાનગી કોલેજના સંચાલકોએ ફી બાબતે પોતાની મનમાની યથાવત રાખી છે.

આ સંદર્ભે વિદ્યાર્થી સંગઠનોએ પણ અવારનવાર યુનિવર્સીટી કક્ષાએ રજૂઆતો અને ફરિયાદો કરી છ્હે. તેમ છતાં કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓને ફીમાં માફી નહીં આપતા વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની છે. તેવામાં સંચાલકો દ્વારા ફી બાબતે મનમાની કરી રહેલી આવી કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

કોરોનાના કારણે આમેય ઘણા પરિવારોની આર્થિક હાલત કફોડી થઇ છે તેવામાં યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓને ફી માફીનો ફાયદો ન આપનાર આવી કોલેજો સામે હવે યુનિવર્સીટીના સત્તાધીશો પણ લાલ આંખ કરે તે જરૂરી છે.

આ પણ વાંચો :

GANDHINAGAR : ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરશે, મુખ્યપ્રધાન રૂપાણી સાથે કરી મુલાકાત

SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">