Surat: નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ પણ અસલામત ! ઉંદરોનો ત્રાસ યથાવત

|

Jul 23, 2021 | 6:29 AM

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે મૃતદેહોના અંગોને ઉંદરોએ કોતરી ખાધા હોવાના બનાવ સામે આવ્યા છે. સિવિલના સત્તાધીશો દ્વારા આ અંગે ગંભીર નોંધ ન લેવાતા ઉપરાછાપરી બે ઘટના સામે આવતા પરિવારજનોની લાગણી દુભાઈ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ઉપરી અધિકારીઓ કોઈ નિરાકરણ લાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Surat: નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ પણ અસલામત ! ઉંદરોનો ત્રાસ યથાવત
Surat: Bodies also unsafe in postmortem room of new civil hospital! Torture of rats remains the same

Follow us on

સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital ) ઉંદરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં(postmortem room ) બે દિવસમાં બે ઘટના એવી સામે આવી છે જેમાં ઉંદરોએ મૃતદેહને કોતરી ખાધા છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી કે જેમાં અડાજણ વિસ્તારમાં રહેતી વૃદ્ધાના મૃતદેહનો પગ ઉંદરો દ્વારા કોતરી ખાધી હોવાની ઘટના બની હતી.

જયારે આજે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા યુવાનના મૃતદેહનો હાથ ઉંદરોએ કોતરી ખાધો હોવાનો બનાવ બન્યો છે. ગઈકાલે બનેલા આ બનાવની નોંધ સિવિલના સત્તાધીશોએ ગંભીરતાથી લીધી ન હોય બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે, જેમાં મૃત્યુ પછીનો પણ મલાજો જળવાતો ન હોય એવું પરિવારજનોએ અનુભવ્યું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલનાપોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. એટલું જ નહીં વહીવટી તંત્રના પાપે પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરો એક પછી એક મૃતદેહ ના અંગોકોતરી બચકા ભરી રહ્યા હોવાથી પરિવારજનોમાં આક્રોશની સાથે તેમની લાગણીઓ પણ દુભાતી દેખાઇ રહી છે. ત્યારે બીજા દિવસે પણ વધુ એક મૃતદેહ નોઅંગો ઉંદરો કોતરી ગયાની ઘટના સામે આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાર્લે પોઇન્ટ ખાતેઆવેલા ગોકુલ રો-હાઉસ મહેતા રિશીત ઝવેરી નામના યુવાને ગઈ કાલે સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતા ઉમરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન રાતભર તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રહેતા ઉંદરોએ મૃતદેહના જમણા હાથના ભાગે કોતરી ખાધો હતો.

આજે સવારે જ્યારે પીએમની કાર્યવાહી શરૂ થઇ ત્યારે તેના હાથ પર ઉંદરોના કોતર્યાં હોવાના નિશાન મળી આવ્યા હતા. જેના પગલે પરિવારજનો પણ ચોંકી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં ગઇકાલે પણ એક વૃદ્ધાના મૃતદેહના ઉંદર કોતરી ગયા હતા. પીએમ રૂમમાં ઉંદરોનો ત્રાસ વધવા લાગે છે ત્યારે હવે આ અંગે હોસ્પિટલના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે

Next Article