સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital ) ઉંદરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં(postmortem room ) બે દિવસમાં બે ઘટના એવી સામે આવી છે જેમાં ઉંદરોએ મૃતદેહને કોતરી ખાધા છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી કે જેમાં અડાજણ વિસ્તારમાં રહેતી વૃદ્ધાના મૃતદેહનો પગ ઉંદરો દ્વારા કોતરી ખાધી હોવાની ઘટના બની હતી.
જયારે આજે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા યુવાનના મૃતદેહનો હાથ ઉંદરોએ કોતરી ખાધો હોવાનો બનાવ બન્યો છે. ગઈકાલે બનેલા આ બનાવની નોંધ સિવિલના સત્તાધીશોએ ગંભીરતાથી લીધી ન હોય બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે, જેમાં મૃત્યુ પછીનો પણ મલાજો જળવાતો ન હોય એવું પરિવારજનોએ અનુભવ્યું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલનાપોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. એટલું જ નહીં વહીવટી તંત્રના પાપે પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરો એક પછી એક મૃતદેહ ના અંગોકોતરી બચકા ભરી રહ્યા હોવાથી પરિવારજનોમાં આક્રોશની સાથે તેમની લાગણીઓ પણ દુભાતી દેખાઇ રહી છે. ત્યારે બીજા દિવસે પણ વધુ એક મૃતદેહ નોઅંગો ઉંદરો કોતરી ગયાની ઘટના સામે આવી છે.
પાર્લે પોઇન્ટ ખાતેઆવેલા ગોકુલ રો-હાઉસ મહેતા રિશીત ઝવેરી નામના યુવાને ગઈ કાલે સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતા ઉમરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન રાતભર તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રહેતા ઉંદરોએ મૃતદેહના જમણા હાથના ભાગે કોતરી ખાધો હતો.
આજે સવારે જ્યારે પીએમની કાર્યવાહી શરૂ થઇ ત્યારે તેના હાથ પર ઉંદરોના કોતર્યાં હોવાના નિશાન મળી આવ્યા હતા. જેના પગલે પરિવારજનો પણ ચોંકી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં ગઇકાલે પણ એક વૃદ્ધાના મૃતદેહના ઉંદર કોતરી ગયા હતા. પીએમ રૂમમાં ઉંદરોનો ત્રાસ વધવા લાગે છે ત્યારે હવે આ અંગે હોસ્પિટલના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે