અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના બેડી, રોઝી અને સિક્કા બંદરનો સમાવેશ થાય છે. તો દેવભૂમિદ્વારકાના સલાયા અને ઓખા બંદરને પર એલર્ટ કરવામાં આવ્યું છે.
સાથે જ પોરબંદરના બંદરો પર પણ એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો એલર્ટના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્લન આપીને એલર્ટ રહેવા આદેશ કરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો