અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. કોંગ્રેસના માયનોરિટી સેલના સેક્રેટરી ઉમરખાન પઠાણે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આરોપી ઉમરખાને લખનઉનો વીડિયો શાહઆલમનો હોવાનું દર્શાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ શાહઆલમમાં પણ હિંસા થઈ હતી. આ સમગ્ર કેસને લઈને આરોપી ઉમરખાને જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા ઉમરખાનને સેન્ટ્રલ જેલ મોકલાશે.
આ પણ વાંચોઃ CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો