સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતમાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આ ઉજવણી માટે અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારબાદ માતા હિરાબાના આર્શીવાદ લેવા માટે રાયસણ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી કેવડિયા કોલોનીમાં રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવશે અને સાથે જ પરેડમાં પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ સંબોધન પણ કરવાના છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો