AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંમતનગર આસપાસના 8 ગામના વિસ્તાર નગરપાલિકામાં સમાવાયા, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ

સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હવે વધુ મોટું બન્યુ છે. રાજ્ય સરકારે હિંમતનગર નગર પાલિકામાં શહેરની આસપાસની 8 ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારને ભેળવી દીધો છે. આમ કરવાની સાથે જ હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં મોટી રાહત સર્જાશે. પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓમાં રાહત સર્જાશે.

હિંમતનગર આસપાસના 8 ગામના વિસ્તાર નગરપાલિકામાં સમાવાયા, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ
શહેરનો વિસ્તાર વધ્યો
| Updated on: Mar 13, 2024 | 9:53 AM
Share

હિંમતનગર શહેરના વિકાસ માટે છેલ્લા દોઢ વર્ષથી ભરપૂર પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જેને લઈ હવે આગામી વર્ષોમાં વિકાસ બુલેટ ગતિ પકડશે એવી આશા બંધાઇ છે. હિંમતનગર શહેરનો વિસ્તાર પણ હવે વધારવામાં આવ્યો છે, પહેલા હુડા અને હવે પાલિકાના વ્યાપને વધારવામાં આવતા મોટી રાહત શહેરીજનોને સર્જાઈ છે. અનેક સોસાયટીઓમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓને લઇ સમસ્યાઓ હતી.

ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારના લોકોને રોડ, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પાલિકાનો વિસ્તાર વધવા સાથે હવે શહેરની વસ્તીનો આંકડો પણ વધશે અને આમ હવે પાલિકાનો વર્ગ પણ ઉંચો થતાં વિકાસ માટે ગ્રાન્ટમાં પણ વધારો થશે.

8 ગામના 411 સર્વે નંબર હવે પાલિકામાં

રાજ્ય સરકારે હિંમતનગરના વિકાસ માટે વધુ એક મહોર લગાવી છે. હિંમતનગરના વિકાસ માટે પૂર્વ ધારાસભ્ય અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા ચિંધેલી દિશા તરફ હવે પ્રસાયો એક બાદ એક સફળ થવા લાગ્યા છે. આ માટે તેમના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને લઈ મુખ્યપ્રધાને લોકો હિતમાં રજૂ  જેથી શહેરનો વિકાસ હવે રોકેટ ગતિ પકડવા લાગ્યો છે. એક દાયકાથી હિંમતનગરની આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવેશ થતા સર્વે નંબરના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆત કરી રહ્યા હતા. પરંતુ આ વાત અગાઉના નેતાઓને સાંભળવાનો સમય નહોતો અને વાતને મજાકમાં ઉડાવી દેવાતી હતી.

જોકે હવે રાજ્ય સરકારે લોકોની પીડાને સમજીને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરતા હિંમતનગર શહેરમાં 8 ગ્રામ પંચાયતોના વિશાળ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં નવા બળવંતપુરા બેરણા, કાંકણોલ, હડીયોલ, બોરીયા ખુરાંદ (પીપલોદી), કાટવાડ, પરબડા, સવગઢ ગ્રામ પંચાયતના 411 જેટલા સર્વે નંબરોને હવે પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. આમ હવે હિંમતનગર શહેરનો નવો નક્શો રચાશે.

પહેલા HUDA હવે વ્યાપ વધ્યો

હિંમતનગરના ઝડપી વિકાસ માટે પહેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી. 110 ચોરસ કિલોમીટર એરિયાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ હુડા અમલમાં આવતા શહેરના વિસ્તાર સાથે સુવિધાઓનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવશે. જેનાથી શહેરની સમૃદ્ધી અને સુવિધાઓ વધશે.

આ પણ વાંચો: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના-ચાંદીની લૂંટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">