AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

આમ તો કોઈ નજરમાં વસી જાય એટલે પ્રેમના તીર તાકવાની શરુ થતી હોય છે, બંને હૈયાઓ પર પ્રેમના તીર ઘાયલ કરતા નિશાન છોડતા હોય છે. તો નજરો પણ એકમેક પર તીર છોડવાની ચૂકતી નથી. પરંતુ અહીંતો આધેડને સાચૂકલુ અણીદાર તીર જ છૂટી જતા મુશ્કેલી સર્જાઈ ગઈ છે.

પ્રેમના વહેમે 'ઘાયલ' કર્યો! પત્નિ પર નજરના 'તીર' ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ
આડા સંબંધના વહેમે તીર ચલાવ્યુ
| Updated on: May 06, 2023 | 6:43 PM
Share

જ્યારે એક બીજાને પસંદ પડવાની શરુઆત થાય અને એક મેકની નજર મળે એટલે પ્રેમના તીર વછૂટવા શરુ થતા હોય છે. બંને હૈયાઓ એક બીજાના પ્રેમના તીરથી ઘાયલ થતા હોય છે અને કહાની ઈશ્કની શરુ થતી હોય છે. પરંતુ અહીં તો આવા વહેમમાં સાચૂકલા જ અણીદાર તીર છૂટવાની ઘટના સામે આવી છે. ઘટના સાબરકાંઠા જિલ્લાની છે. જિલ્લાના પોશીના તાલુકામાં એક આધેડ પર એક શખ્સે તીર-કામઠું લઈ આવીને તીર છોડી દીધુ હતુ. તેને વહેમ હતો કે આધેડ તેની પત્નિ સાથે પ્રેમના સંબંધ રાખી રહ્યો છે.

આધેડને બાવડા અને છાતીના ભાગે તીર વાગતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની જરુરીયાત ઉભી થઈ હતી. જ્યાં તેની સર્જરી કરીને આધેડના શરીરમાંથી તીરની આગળની અણીદાર ફાંસને બહાર નિકાળવામાં આવી હતી. જે અણીદાર ફાંસને સ્થાનિક લોકો ફળો તરીકે ઓળખતા હોય છે, જેની સીધી બહાર પાછી નિકાળી શકાતી નથી હોતી.

ગંભીર જણાતા અમદાવાદ ખસેડ્યો

આધેડ રમેશભાઈ પરમારની હાલત જીવન મરણ વચ્ચેની બની ગઈ હતી. પરંતુ અમદાવાદ સિવિલના તબીબોએ સર્જરી કરીને યુવકને જીવલેણ ઈજામાંથી રાહત અપાવી છે. આધેડ પુરુષ રમેશભાઈ જોકે હાલતો તબિબોની દેખરેખ હેઠળ છે, પરંતુ તેમના માથેથી હવે ખતરો ઓછો થઈ ચુક્યો છે. આ પહેલા 108 મારફતે ઘટના બન્યા બાદ તુરત પોશીના સ્થિત સ્થાનિક સરકારી હોસ્પિટલમાં રમેશભાઈને લઈ જવામાં આવ્યા હતા. જોકે ઈજા ગંભીર જણાતા તીર વાગેલી હાલતમાં જ આધેડને હિંમતનગર મેડિકલ કોલેજ સ્થિત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પણ મામલો વધારે ગંભીર જણાતા તુરત અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ  70 વર્ષના દાદા-દાદીના યોજાયા લગ્ન, પીઠી ચોળી, જાન જોડાઈ અને ફેરા ફર્યા, 50 પૌત્રો-પૌત્રીઓ મન મૂકીને DJ ના તાલે નાચ્યા

પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો!

વાત એમ હતી કે, આંબા મહુડા ગામના રમેશભાઈ પરમાર પોતાની ઘર્મની બહેન માનેલ મહિલાના ઘરે લાખિયા ગામે ગયા હતા. જેમને તેમની ખેતીના કામમાં મદદ કરી હતી અને ત્યાંજ જમ્યો હતો. સાંજના સમયે સાડા પાંચેક વાગ્યાના દરમિયાન લાખિયા ગામના રમેશ ડાભી પોતાના હાથમાં તીર કામઠુ લઈ આવીને ગાળો આપવાની શરુ કરી હતી. જેને લઈ ગાળો નહીં બોલવાની ના પાડી હતી. રમેશ ડાભીએ પોતાની પત્નિ સાથે કેમ આડા સંબંધો રાખે છે એમ કહીને આજે પતાવી દેવાનો હોવાનુ કહીને તીર કામઠુ તાક્યુ હતુ.

આ દરમિયાન રમેશ ડાભીએ આડા સંબંધના વહેમે તીર છોડતા રમેશ પરમારના જમણા હાથના બાવળાની આરપાર થઈને છાતીમાં વાગ્યુ હતુ. છાતીમાં પાંસળીઓમાં તીર ઘૂસી જતા આ માટે તાત્કાલીક આજુ બાજુથી લોકો દોડી આવીને સારવાર માટે 108 બોલાવી પોશીના ખસેડ્યો હતો. ફરીથી આ ગામ તરફ આવ્યો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને રમેશ ડાભી આજે બચી ગયો હોવાનુ કહી જતો રહ્યો હતો. પોશીના પોલીસે ઘટના અંગે આરોપી રમેશ ડાભી વિરુદ્ધ ફરીયાદ નોંધીને ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">