સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા વડિયાવીર મંદીરનુ ભક્તોમાં અનેરુ સ્થાન છે પરંતુ મંદીરમાં તસ્કરો એ ત્રાટકતા મંદીરમાં થી રુપિયા ૧.૮૩ લાખની મત્તાની ચોરી કરી છે. વિડીયાવીર ખાતે આવેલા પૌરાણીક મહાદેવજીનુ મંદીર આવેલુ છે અને આ સાથે જ અહી અંબાજી માતાનુ મંદીર પણ આવેલુ છે. વડિયાવીર સ્થાનિક લોકોમાં આસ્થાનુ મહત્વ ધરાવે છે.
જોકે અહી તસ્કરો ત્રાટકતા અંબાજી માતાના મંદીરમાં લગાવેલ વિશાળ છત્રની પણ ચોરી થવા પામી છે. ત્રણેક કિલો ચાંદીનુ વિશાળ છત્ર તસ્કરો ઉઠાવી જવા સાથે માતાજીનુ ચાંદીનુ પુજનમાં મુકેલુ યંત્ર અને માતાજીની પાંચસો ગ્રામ ચાંદીની પાદુકાઓ અને અન્ય એક ૭૫૦ ગ્રામ વજનની ચાંદીનુ છત્ર આમ કુલ મળીને સાડા ચાર કિલો જેટલી ચાંદીની ચિજ વસ્તુઓની ચોરી થવા પામી છે.
આ ઉપરાંત મંદીરની દાનપેટીમાં રહેલા પાંચેક હજાર જેટલી રકમ પણ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. તાજેતરમાં જ રામ મંદિરના શિલાન્યાસ વેળા વડિયાવીર મંદિરના મહંત શાંતિગીરીજીને અયોધ્યામાં શીલાન્યાસ વિધીમાં હાજર રહેવા આમત્રણ આપવામાં આવ્યુ હતું. તસ્કરો ચોરી કરતી સીસીટીવીમાં કેદ થયા છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મંદીરમાંથી શેની થઈ ચોરી…
અંબાજી માતાનુ ચાંદીનું મુખ્ય છત્ર, ત્રણ કિલો વજનનું
માતાજીની પાદુકા, ૫૦૦ ગ્રામ વજનની
માતાજીનુ પુજા યંત્ર, ૨૦૦ ગ્રામ વજનનુ
દાનપેટીમાંથી ૫૦૦૦ રુપિયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:46 am, Thu, 27 August 20