ઈડરના વડિયાવીર મંદીરમાં ત્રાટકેલા તસ્કર સીસીટીવીમાં કેદ, યંત્ર અને પાદુકા સહિત 4.5 કિલો ચાંદીની મત્તાની ચોરી

|

Sep 19, 2020 | 5:33 PM

  સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા વડિયાવીર મંદીરનુ ભક્તોમાં અનેરુ સ્થાન છે પરંતુ મંદીરમાં તસ્કરો એ ત્રાટકતા મંદીરમાં થી રુપિયા ૧.૮૩ લાખની મત્તાની ચોરી કરી છે. વિડીયાવીર ખાતે આવેલા પૌરાણીક મહાદેવજીનુ મંદીર આવેલુ છે અને આ સાથે જ અહી અંબાજી માતાનુ મંદીર પણ આવેલુ છે. વડિયાવીર સ્થાનિક લોકોમાં આસ્થાનુ મહત્વ ધરાવે છે. જોકે અહી તસ્કરો […]

ઈડરના વડિયાવીર મંદીરમાં ત્રાટકેલા તસ્કર સીસીટીવીમાં કેદ, યંત્ર અને પાદુકા સહિત 4.5 કિલો ચાંદીની મત્તાની ચોરી

Follow us on

 

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા વડિયાવીર મંદીરનુ ભક્તોમાં અનેરુ સ્થાન છે પરંતુ મંદીરમાં તસ્કરો એ ત્રાટકતા મંદીરમાં થી રુપિયા ૧.૮૩ લાખની મત્તાની ચોરી કરી છે. વિડીયાવીર ખાતે આવેલા પૌરાણીક મહાદેવજીનુ મંદીર આવેલુ છે અને આ સાથે જ અહી અંબાજી માતાનુ મંદીર પણ આવેલુ છે. વડિયાવીર સ્થાનિક લોકોમાં આસ્થાનુ મહત્વ ધરાવે છે.

જોકે અહી તસ્કરો ત્રાટકતા અંબાજી માતાના મંદીરમાં લગાવેલ વિશાળ છત્રની પણ ચોરી થવા પામી છે. ત્રણેક કિલો ચાંદીનુ વિશાળ છત્ર તસ્કરો ઉઠાવી જવા સાથે માતાજીનુ ચાંદીનુ પુજનમાં મુકેલુ યંત્ર અને માતાજીની પાંચસો ગ્રામ ચાંદીની પાદુકાઓ અને અન્ય એક ૭૫૦ ગ્રામ વજનની ચાંદીનુ છત્ર આમ કુલ મળીને સાડા ચાર કિલો જેટલી ચાંદીની ચિજ વસ્તુઓની ચોરી થવા પામી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ ઉપરાંત મંદીરની દાનપેટીમાં રહેલા પાંચેક હજાર જેટલી રકમ પણ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. તાજેતરમાં જ  રામ મંદિરના શિલાન્યાસ વેળા વડિયાવીર મંદિરના મહંત શાંતિગીરીજીને અયોધ્યામાં શીલાન્યાસ વિધીમાં હાજર રહેવા આમત્રણ આપવામાં આવ્યુ હતું. તસ્કરો ચોરી કરતી સીસીટીવીમાં કેદ થયા છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

મંદીરમાંથી શેની થઈ ચોરી…

અંબાજી માતાનુ ચાંદીનું મુખ્ય છત્ર, ત્રણ કિલો વજનનું

માતાજીની પાદુકા, ૫૦૦ ગ્રામ વજનની

માતાજીનુ પુજા યંત્ર, ૨૦૦ ગ્રામ વજનનુ  

દાનપેટીમાંથી ૫૦૦૦ રુપિયા 

આ પણ વાંચોઃસરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:46 am, Thu, 27 August 20

Next Article