સાબરકાંઠા: વડવાસા બ્રીટીશ નાગરિકના મોત મામલે ૨૩ કરોડના દાવામાંથી PM મોદીનું નામ હટાવાયું

2002ના કોમી રમખાણો દરમ્યાન પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે નેશનલ હાઈવે પર એનઆરઆઈ બ્રિટિશ નાગરિકના ટોળાના હુમલામાં મોતના મામલે 23 કરોડના વળતરના દાવાના કેસમાંથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હટાવી લેવામા આવ્યું છે. નામ હટાવી લેવા કરાયેલી અરજી પ્રાંતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે. જેને લઈને 17 વર્ષના સમય બાદ નામ દુર કરવાનો નિર્ણય […]

સાબરકાંઠા: વડવાસા બ્રીટીશ નાગરિકના મોત મામલે ૨૩ કરોડના દાવામાંથી PM મોદીનું નામ હટાવાયું
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 06, 2020 | 3:19 AM

2002ના કોમી રમખાણો દરમ્યાન પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે નેશનલ હાઈવે પર એનઆરઆઈ બ્રિટિશ નાગરિકના ટોળાના હુમલામાં મોતના મામલે 23 કરોડના વળતરના દાવાના કેસમાંથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ હટાવી લેવામા આવ્યું છે.

Prantij Court

નામ હટાવી લેવા કરાયેલી અરજી પ્રાંતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે. જેને લઈને 17 વર્ષના સમય બાદ નામ દુર કરવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો વેળા પ્રાંતિજના વડવાસા પાટીયા પાસેથી પસાર થતા બ્રિટનનાં નાગરિકનું મોત ટોળાના હુમલામાં નિપજ્યુ હતું. જેમાં એનઆરઆઈ બ્રિટન નિવાસી ઈમરાન દાઉદ, સિરિન દાઉદ વગેરેએ સ્વજનના મોતને લઈ 23 કરોડના વળતરનો કેસ કર્યો હતો. તેમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવો કર્યો હતો તે પૈકીના એક પ્રતિવાદી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વળતરનો કેસ કર્યો હતો. જે કેસમાં નરેન્દ્રભાઈ મોદીને પક્ષકાર તરીકે દૂર કરવા અરજી કરી હતી. જે અરજી પ્રાતિજ પ્રિ.સિ.જ્જ એસ.કે.ગઢવી સમક્ષ સુનાવણી થતા PM મોદીને પક્ષકાર તરીકે દૂર કરતો હુકમ કર્યો છે. જ્યારે બાકીના પ્રતિવાદીઓ યથાવત રહેશે. જોકે હજુ આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ વધુ મુદત આપવામા આવી છે જેમાં હવે દાવો રજૂ કરનાર પક્ષ તરફ થી દાવા માટે પ્રતિવાદીઓ વિરુદ્ધના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">