સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરા કરડવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. ઘટના બની હતી સોનગઢ ગામની જ્યાં ખેતરમાં પિતા અને તેના બે માસૂમ બાળકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પક્ષીઓએ ભમરાના પૂડાને છંછેડતાં ખેતરમાં ભમરા ઉડવા લાગ્યા હતા.
આ પણ વાંચો: 60 દિવસ સુધી બેરોજગારીના વિરોધમાં પ્રદર્શન, 400 લોકોના મોત બાદ PMનું રાજીનામું
ત્રણેયે ભમરાથી બચવાના ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ ત્રણેયને એવા ભમરા કરડી ગયા કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો