AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 રુપિયાની લાલચે કંડક્ટરે ટિકિટ ન આપી, દંડમાં પોતાની સર્વિસના 15 લાખ રુપિયા ગુમાવવા પડ્યા

ગુજરાતમાં એક કંડક્ટરને લાલચ રાખવી ભારે પડી છે. 9 રુપિયાની લાલચના લીધે 15 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાઈકોર્ટે સુધી મામલો ગયો હતો પણ ત્યાં અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને જૂની વિભાગની સજાને એમજ રાખી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 29-04-2025 પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે? ખાંડથી […]

9 રુપિયાની લાલચે કંડક્ટરે ટિકિટ ન આપી, દંડમાં પોતાની સર્વિસના 15 લાખ રુપિયા ગુમાવવા પડ્યા
Follow Us:
| Updated on: Jul 29, 2019 | 1:53 PM

ગુજરાતમાં એક કંડક્ટરને લાલચ રાખવી ભારે પડી છે. 9 રુપિયાની લાલચના લીધે 15 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાઈકોર્ટે સુધી મામલો ગયો હતો પણ ત્યાં અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને જૂની વિભાગની સજાને એમજ રાખી હતી.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..

ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમે કંડક્ટર ચંદ્રકાન્ત પટેલની સેલેરીમાં કાપ મૂકી દીધો છે. 2003માં ચંદ્રકાન્તની વિરુદ્ધમાં મામલો સામે આવ્યો હતો. જેમાં મુસાફરે ચેકિંગ અધિકારીઓને જણાવ્યું હતું કે તેમને કંડક્ટરને 9 રુપિયા આપ્યા હતા પણ કંડક્ટરે પૈસા લઈને ટિકીટ આપી નહોતી. આ બાબતે ચંદ્રકાન્ત પટેલની વિરુદ્ધમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. નિગમે વિભાગીય તપાસ હાથ ધરીને ચંદ્રકાન્ત પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચંદ્રકાન્ત પટેલને વિભાગની તપાસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સેલેરીમાં મોટો કાપ મુકવામાં આવ્યો હતો. આ સજા બાદ ચંદ્રકાન્તે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કંડક્ટરના વકીલે કહ્યું કે આ નાનો ગુનો છે અને તેના માટે મોટી સજા આપવામાં આવી છે. જ્યારે સામે પરિવહન નિગમના વકીલે પણ આવી ભૂલ પહેલાં પણ કરી હોવાની દલીલ કરી હતી. જેના લીધે હાઈકોર્ટે પણ ચંદ્રકાન્ત પટેલની અરજીને ફગાવી દીધી હતી અને વિભાગે આપેલી સજાને તેમ જ રાખી હતી.

[yop_poll id=”1″]

કોર્ટમાં એવી દલીલ પણ કંડક્ટરના વકીલ તરફથી કરવામાં આવી હતી કે નાની ભૂલમાં મોટી સજા આપવામાં આવે તો તેના લીધે આખી જિંદગીની સર્વિસમાં 15 લાખનું નુકસાન થઈ શકે છે. કોર્ટે આવી દલીલને પણ માન્ય રાખી નહોતી. આમ 9 રુપિયાની ટિકિટના પૈસા લઈને ટિકિટ ન આપવા બદલ 15 લાખનું નુકસાન કંડક્ટરે ભોગવવાનું આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">