ઈશ્વર પ્રાપ્તિ માટે મન ખાલી કરવું પડશે, જાણો આ અહેવાલમાં

|

Feb 13, 2021 | 7:55 PM

એક સાધુની વાર્તા વાંચો જે ઈશ્વરની શોધમાં સમયાંતરે ભટકતો રહેતો હતો અને એક નાના વેપારીએ તેને ભગવાનનું સ્થાન ખૂબ જ સરળતાથી સમજાવ્યું.

ઈશ્વર પ્રાપ્તિ માટે મન ખાલી કરવું પડશે, જાણો આ અહેવાલમાં

Follow us on

એકવાર એક સાધુ ઈશ્વરની શોધમાં ભટકતા ભટકતા એક દુકાન પર આવ્યા. દુકાનમાં ઘણા નાના-મોટા ડબ્બા હતા. સંન્યાસીએ એક ડબ્બા તરફ ઇશારો કરીને દુકાનદારને પૂછ્યું, તેમાં શું છે? દુકાનદારે કહ્યું, તેમાં મીઠું છે. સંન્યાસીએ ફરીથી પૂછ્યું, તેની બાજુના ડબ્બામાં શું છે? દુકાનદારે કહ્યું, તેમાં હળદર છે. તેવી જ રીતે સાધુ પૂછતા રહ્યા અને દુકાનદાર કહેતો રહ્યો.

છેવટે પાછળ રાખવામાં આવેલા ડબ્બાનો નંબર આવ્યો, સાધુએ પૂછ્યું કે તે છેલ્લા ડબ્બામાં શું છે? દુકાનદારે કહ્યું, શ્રીકૃષ્ણ તેમાં છે. સંન્યાસીએ આશ્ચર્યમાં પૂછ્યું શ્રીકૃષ્ણ!! ભલા માણસ આ શ્રીકૃષ્ણ કંઈ વસ્તુનું નામ છે? મેં તો ક્યારેય આ નામનો સામાન કે વસ્તુ વિષે સાંભળ્યું નથી ! સાધુની નિર્દોષતા પર દુકાનદાર હસ્યો અને બોલ્યો, મહાત્મા ! બધા ડબ્બામાં તો અલગ અલગ વસ્તુઓ છે, પણ આ ડબ્બો ખાલી છે.

અમે ખાલી ને ખાલી નહીં શ્રીકૃષ્ણ કહીએ છીએ ! જવાબ સાંભળીને સન્યાસીની આંખો ખૂલીને ખૂલી જ રહી ગઈ ! સન્યાસી બોલ્યા કે જે વાત માટે હું જ્યાને ત્યાં ભટકી રહ્યો હતો, એ વાત મને એક નાના વેપારી સરળ શબ્દોમાં સમજાવી દીધી. સન્યાસી એ દુકાનદારના ચરણોમાં પડી ગયો, અને બોલ્યો કે હવે મને સમજાયું કે ઈશ્વર તો ખાલીમાં હોય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સાચું છે ભાઈ ! ભરેલામાં શ્રીકૃષ્ણને કયા સ્થાન હોય છે ? આપણે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, લાલચ, ગર્વ, ઈર્ષ્યા, દુષ્ટતા, સારા-ખરાબ, સુખ અને દુ: ખથી ભરેલા રહીએ છીએ જેથી ઈશ્વર તેમાં કેવી રીતે રહી શકે. તેને મુક્ત જગ્યાની જરૂર છે. તેથી જો તમારે ખરેખર ભગવાન પાસે પહોંચવું છે, તો મનને આ મોહ માયાથી મુક્ત કરવું પડશે અને તેને શુદ્ધ કરવું પડશે. શ્રીકૃષ્ણ શુધ્ધ મનમાં નિવાસ કરે છે.

Next Article