અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટ કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિવસ-રાત કામ કરતા 125 જેટલા ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે. 14 દિવસ સુધી તબીબ આઈસોલેશનમાં જતા કોઇની સારવાર કરી શકતા નથી. આ સિવાય સરવે જેવી કામગીરીમાં લાગેલા આરોગ્ય કર્મચારીઓ અને તલાટીઓ પણ દિન પ્રતિદિન કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. જો આ ગતિએ એક્ટિવ કેસમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ પોઝિટિવ આવતા રહેશે, તો સારવાર પર તેની અસર થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો કોરોનાગ્રસ્ત થતા હાલ તો સારવાર માટે બહારથી પણ તબીબો બોલાવાઈ રહ્યા છે.
આ પણ વાંચો: કોરોનાકાળમાં ગરબા! અમદાવાદના ખેલૈયાઓ થનગનવા તૈયાર, આયોજકોએ પણ પૂર્ણ કરી તૈયારીઓ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 2:24 pm, Thu, 10 September 20