AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા 20 ઓક્ટોબરથી રસીકરણ શરૂ થશે

Pneumococcal Pneumonia : બાળકોને ઉધરસ આવવી,ગળામાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જોવા મળે છે.

RAJKOT : બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા 20 ઓક્ટોબરથી રસીકરણ   શરૂ થશે
Vaccination will begin on October 20 to prevent the spread of pneumococcal pneumonia in children
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:19 PM
Share

RAJKOT :નાના બાળકોને બેક્ટેરીયાથી ન્યૂમોકોકલ ન્યૂમોનિયા (Pneumococcal Pneumonia) નામની ગંભીર પ્રકારની બિમારીને અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે 20 ઓક્ટોબરના રોજ આ બિમારી સામે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

કેવા છે આ રોગના લક્ષણો? નાના બોળકોમાં બેકટેરીયાથી થતાં ફેફસાના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા એ ગંભીર પ્રકારનો ચેપ છે. રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉઘરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા-પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને કયારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે. આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઉધરસ અને છિંક આવવાથી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે.

રસીકરણથી આ રોગ અટકાવી શકાય છે નાની ઉમરના બાળકોમાં આ રોગને રસીકરણ દ્વારા ફેલાતો અટકાવી શકાય છે. આથી આ રોગથી થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા આગામી 20 ઓકટોબરથી રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીનેશન (Pneumococcal conjugate vaccine) નો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત જે બાળકો રસીકરણ માટે 6 અઠવાડીયા અથવા પોલીયો-1 અને પેન્ટાવેલેન્ટ-1 ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીન PVCનો પહેલો ડોઝ આપવમાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ 14 અઠવાડીયા પછી અને 9 મહિના બાદ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.

સરકારી દવખાનાઓમાં વિનામુલ્યે રસીકરણ ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. જયારે તમામ સરકારી દવખાનાઓમાં આ રસી વિનામુલ્યે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ લોકોમાં આ અંગે જાગૃતિ અર્થે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર પ્રથમ બાળકને પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરાયેલ છે. આ અંગે વધુ વિગતો માટે સ્થાનીક આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને દરેક વાલીઓ પોતાના બાળકને આ રસી અવશ્ય મુકાવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો આપણો દેશ ખૂબ જ મહત્વપૂર્ણ

આ પણ વાંચો : Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">