Rajkot: ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસ અકસ્માતનો ભોગ બની છે. બસમાં મુસાફરી કરતાં 4થી 5 લોકોને નાની મોટી ઇજાઓ પામી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે થઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ પંથકમાં આજે બસ અકસ્માતની આ બીજી ઘટના છે. આજે વહેલી સાવરે રાજકોટના સરધાર પાસે યાત્રાળુઓની બસને પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું.
ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસ અકસ્માત અગાઉ રાજકોટમાં એક ધાર્મિક યાત્રા પર નીકળેલીને બસને અકસ્માત નડ્યો હતો. રાજકોટ નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જ જાનહાનીઓ થઈ ન હતી. વહેલી સવારે 3:45 વાગ્યે યાત્રાળુઓની બસ પલટી મારી જતા 40 યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ પહોચી હતી.
આ પણ વાંચો: Porbandar: ઘૂઘવાતા મહાસાગરમાં તોફાની મોજા સાથે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો કરે છે ધ્વજ વંદન
આ પણ વાંચો: Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર
Published On - 9:26 am, Sun, 15 August 21