રાજકોટ પોલીસનું જય દ્વારકાધીશ, દ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા તથા સલામતી કેમ્પ

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે.ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે.

રાજકોટ પોલીસનું જય દ્વારકાધીશ, દ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા તથા સલામતી કેમ્પ
Rajkot Police Seva Camp For Dwarka Pedestrain
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:37 PM

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. રાજકોટ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે.ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે.જેમાં ખાણીપીણીની લઈને સૂવાની અને નાહવાની સુવિધાઓ તેઓ આપતા હોય છે.માનવામાં આવે છે કે પગપાળા દ્વારકા જતા લોકોની સેવા કરવાથી પુણ્ય મળે છે.જેથી મોટી સંખ્યામાં આખા રસ્તે સેવાભાવી સંસ્થાઓ સેવા કરતી હોય છે.

રાજકોટ પોલીસે પણ આ વર્ષે સેવા તથા સલામતી કેમ્પનુ કર્યું આયોજન

પગપાળા દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે આ વખતે રાજકોટ પોલીસ પણ આગળ આવી છે અને પદયાત્રીઓ માટે સેવા અને સલામતી કેમ્પનું આયોજન કર્યું છે.જેમાં રહેવા તથા જમવાની સુવિધા,મેડિકલ સુવિધા,ચા – પાણી,ફ્રૂટ તથા જ્યુસ અને સરબતની વ્યવસ્થા,બપોર તથા રાત્રિ દરમિયાન રોકનાર અર્થે સુવા અને બેસવાની વ્યવસ્થા,વધુમાં અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે,આ ઉપરાંત કેમ્પ પર પદયાત્રીઓને જરૂરિયાત મુજબ મેડિકલ સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ હાજર રાખવામાં આવે છે.

પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને માટે ખાસ વ્યવસ્થા

લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે.અને આ રસ્તા પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાથી દર વર્ષે ખાસ કરીને રાત્રી દરમિયાન આ પદયાત્રીઓને અકસ્માત નળવાના પણ ઘણા બનાવો સામે આવે છે. અને કેટલાક પદયાત્રીઓ મોતને પણ ભેટે છે. જે અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચાલતા પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવે છે. જેથી રાત્રીના અંધારામાં વાહન ચાલકોને આ રેડિયમ રિફ્લેકટર દ્વારા ખ્યાલ આવે કે અહીંયા લોકો ચાલીને જઈ રહ્યા છે જેથી અકસ્માત થતા અટકાવી શકાય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હોળીના દિવસે કાળીયા ઠાકરને રિઝવવા લાખો પદયાત્રીઓ એક સાથે પહોંચે છે દ્વારકા

રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ હોળીના દિવસે દ્વારકા પહોંચે તે રીતે પોતપોતાના શહેરોમાંથી નીકળે છે. આ પદયાત્રીઓ દરરોજ સરેરાશ 30 km જેટલું અંતર કાપે છે. રાજકોટ થી દ્વારકા પહોંચતા સાત દિવસ જેટલો સમય લાગે છે. જ્યારે અમદાવાદથી દ્વારકા પહોંચતા 14 થી 15 દિવસ જેટલો સમય આ પદયાત્રીઓને લાગે છે. આખા રાજ્યમાંથી માત્ર ભરવાડ સમાજના જ 50 જેટલા સંઘો દ્વારકા પગપાળા જાય છે. આ દરેક સંઘમાં ચારથી પાંચ હજાર જેટલા લોકો હોય છે. દર વર્ષે હોળીના દિવસે પાંચ થી સાત લાખ જેટલા લોકો દ્વારકાધીશના હોળીના દિવસે દર્શન કરે છે. કારણ કે ફાગણી પૂનમના દિવસે કાળીયા ઠાકરના દર્શનનું અનેરૂ મહત્વ છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : જાણો .. ગુજરાત સરકારના 3.01 લાખ કરોડના બજેટમાં કયા વર્ગને શું મળ્યું, કેવો છે વિકાસનો રોડમેપ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">