રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર ગત રોજ સાંજના સમયે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયાની (Air india) ફ્લાઈટ પાંચ કલાક બાદ પણ ન ઉપડતાં કલાકોથી કંટાળેલાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાને પગલે એરપોર્ટનો સિક્યુરિટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. રાજકોટથી દિલ્લી જનારી AI-404માં ખામીને કરાણે100 ઉપરાંત જેટલાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા, તો વિદેશ જતાં કેટલાય મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની AI-404 ફ્લાઈટ રાજકોટથી દિલ્હી (Delhi) જતી ફ્લાઈટનો શિડ્યુલ બપોરે 3.30 વાગ્યાનો હતો. જો કે, નિયત સમય વિતી ગયો હોવા છતાં પણ ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી ઉપડી ન હતી. પાંચ કલાક સુધી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ બેસેલાં મુસાફરોની ધીરજનો અંત આવી ગયો હતો. બીજી બાજુ એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા પણ સરખો જવાબ ન અપાતાં એરપોર્ટ પર મુસાફરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી. મસમોટા ભાડા ખર્ચીને વિદેશની ટીકીટ લીધી હતી તેમને ગંતવ્ય સ્થાને જવાની ફલાઇટ પણ ન મળી હતી. મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે સંબંધિત અધિકારીઓએ આ મુ્દે યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો અને વૃદ્ધ મુસાફરો તેમજ બાળકો વાળા મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા.
Published On - 9:54 am, Sun, 9 October 22