Rajkot: જે.કે.ચોક કા રાજા બન્યા આકર્ષણનું કેન્દ્ર, જ્યાં ગણપતિ દાદાની આસપાસ જીવંત સફેદ ઉંદરો કરે છે પ્રદક્ષિણા, જુઓ Video

Rajkot: દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં જેકે ચોકનો ગણેશ પંડાલ હરકોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં ગણેશ પંડાલમાં તમને જોવા મળશે જીવિત ઉંદરો. છેલ્લા 15 વર્ષથી અહીં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે ગણેશજીનું વાહન જેને કહેવાય છે તે મૂષક તમને અહીં ગણેશજીની આસાપાસ ફરતા જોવા મળશે. આ સફેદ મૂષકો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે.

Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:55 PM

Rajkot: હાલ દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી લઈને 10 દિવસ સુધી દેશભરમાં અલગ અલગ પંડાલોમાં ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે. ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રંગીલું રાજકોટ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે. દરેક તહેવારને રાજકોટવાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવે છે. ત્યારે ગણપતિ ઉત્સવને લઈને પણ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. રાજકોટમાં અલગ અલગ અનેક ગણેશ પંડાલો છે. જે રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જે.કે. ચોક કા રાજામાં જીવંત ઉંદરો બન્યા આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના જે કે ચોકમાં છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી શિવશક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું 10 દિવસ સુધી આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શન માટે આવે છે. આ ગણેશ પંડાલની વિશેષતા એ છે કે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિની આસપાસ 11 જેટલા જીવંત સફેદ ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. આ ઉંદરો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. ખાસ કરીને બાળકોમાં આ સફેદ ઉંદરોને જોવા માટે ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે અને તેઓ આ સફેદ ઉંદરોને ગણપતિ દાદાની આજુબાજુ ફરતા જોઈને ખુબ જ ખુશ થઈ જતાં હોય તેવા દ્રશ્યો આ પંડાલમાં જોવા મળે છે.

જંગલ થીમ અને ભક્તોને ઠંડક માટે ખાસ AC ડોમ તૈયાર કરાયો

જે. કે. ચોક કા રાજામાં જીવંત ઉંદરોની સાથે અહીંયાના ડોમની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. જેમાં દરવર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. આ વખતે અહીંયા ખાસ જંગલની થીમ રાખવામાં આવી છે.જેમાં શહેરની વચ્ચોવચ લોકોને જંગલની અંદર ગણપતિ દાદાના દર્શન કરતાં હોય તેવી અનુભૂતિ થાય છે. આ ઉપરાંત આ પંડાલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લોકોને ગરમી ન થાય તે માટે આ આખો ડોમ સેન્ટ્રલ AC બનાવવામાં આવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓએ જમાવ્યું આકર્ષણ- જુઓ Video

દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

આ ગણેશ પંડાલમાં 8 વાગ્યે મહાઆરતી થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. મહાઆરતી બાદ દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. અલગ અલગ દિવસે લોકડાયરા, રામામંડળ, દાંડિયારાસ અને સંતવાણી જેવા આયોજનો થશે. આગામી 24 તારીખે રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">