Rajkot : સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત, વિજય સખિયાને રા.લો. સંઘમાંથી દૂર કરાયા

|

Mar 24, 2022 | 4:45 PM

રાજકોટ લોઘિકા સંઘમાં જિલ્લા બેંકના સભ્ય તરીકે વિજય સખિયાને દુર કરવાની જયેશ રાદડિયાની ભલામણ કરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.જયેશ રાદડિયાનું હરિફ જુથ આ માટે સતત ભાજપના મવડી મંડળને રજૂઆત કરી રહ્યું હતું જો કે કાયદાકીય બાબતોને કારણે આ અંગે કોઇ નિર્ણય જાહેર થયો ન હતો અંતે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો

Rajkot : સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત, વિજય સખિયાને રા.લો. સંઘમાંથી દૂર કરાયા
Gujarat Co Operative Sector Leader Jayesh Radadiya

Follow us on

રાજકોટ(Rajkot)જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વની લડાઇમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો(Jayesh Radadiya)હાથ ઉપર રહ્યો છે,આજે રાજકોટ લોઘિકા ખરીદ વેચાણ સંઘમાં બેંકના પ્રતિનિધી તરીકે વિજય સખિયાને(Vijay Sakhiya)દૂર કરીને તેની જગ્યાએ મહેશ આસોદરિયાને નિમણૂક આપવામાં આવી છે.આ અંગે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે જિલ્લા સહકારી બેંક દ્રારા વિજય સખિયાને દૂર કરવા માટેની દરખાસ્ત આવી હતી જો કે કાયદાકીય સૂચન માટે આ દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી.આ અંગે જિલ્લા ભાજપનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું હતું અને સર્વ સંમતિથી પાર્ટીના આદેશ પ્રમાણે વિજય સખિયાને દુર કરીને મહેશ આસોદરિયાને ડેરીના પ્રતિનિધી તરીકે નિમણુક આપવામાં આવી છે.બીજી તરફ જયેશ રાદડિયાના હરિફ જુથ વિજય સખિયાને પદ પર બચાવી શક્યું ન હતું.જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.

ડેરીમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા  હતા

જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.તેમણે કહ્યું હતું કે વર્ષોથી સહકારી ક્ષેત્ર પોતાની રીતે નિર્ણયો લેતું હતું પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે જયેશ રાદડિયાએ ભાજપ કાર્યાલય સુધી જવું પડ્યું છે.અમે પાર્ટીનો આદેશ માન્યો છે નહિ કે જયેશ રાદડિયાની જીત થઇ છે.ડેરીમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હોવાને કારણે જયેશ રાદડિયા વિજય સખિયાને પદ પરથી હટાવી રહ્યા છે.

તમામ સભ્યોને ભાજપે વ્હિપ આપ્યું હતું

રાજકોટ લોઘિકા સંઘમાં જિલ્લા બેંકના સભ્ય તરીકે વિજય સખિયાને દુર કરવાની જયેશ રાદડિયાની ભલામણ કરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.જયેશ રાદડિયાનું હરિફ જુથ આ માટે સતત ભાજપના મવડી મંડળને રજૂઆત કરી રહ્યું હતું જો કે કાયદાકીય બાબતોને કારણે આ અંગે કોઇ નિર્ણય જાહેર થયો ન હતો અંતે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો અને જિલ્લા બેંક દ્રારા રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધી તરીકે જે નામની ભલામણ કરવામાં આવે તેને માન્ય રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

રાદડિયા હરિફ જુથ ફરી સી.આર.પાટીલને મળશે

પ્રથમ દાવમાં પોતાની હાર થતા જયેશ રાદડિયાના હરિફ જુથ દ્રારા ભ્રષ્ટાચારની વાત આગળ કરીને ફરી સી. આર. પાટીલને રજુઆત કરવાની વાત કરી હતી.આવતા સપ્તાહે હરિફ જુથ પૈકીના વિજય સખિયા,નિતીન ઢાંકેચા,પરસોતમ સાવલિયા ફરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને મળવા જવાના છે.બેંકમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જવાબદારો સામે પગલા ભરવાની તેઓ રજૂઆત કરશે.

આ પણ વાંચો : Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન

આ પણ વાંચો : વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત 

 

Published On - 4:11 pm, Thu, 24 March 22

Next Article