AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: એઈમ્સ ખાતે એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીની શરૂઆત, બાળકોમાં કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશનના નિદાનમાં રહેશે સરળતા

એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીમાં આધુનિક તેમજ પરંપરાગત સાધનોની મદદથી માનવ શરીરના અલગ અલગ મેઝરમેન્ટ લઈ બોડી કમ્પોઝીશન અને વિવિધ ગણતરી કરવામાં આવે છે. જેમાં ઑક્ટોબર મહિનામાં પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે

Rajkot: એઈમ્સ ખાતે એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીની શરૂઆત, બાળકોમાં કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશનના નિદાનમાં રહેશે સરળતા
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 24, 2023 | 2:47 PM
Share

રાજકોટ નજીક સાકાર થઈ રહેલી એઈમ્સ હોસ્પિટલ ખાતે સંસ્થાના વડા તેમજ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કર્નલ પ્રોફેસર ડો. સી.ડી.એસ. કટોચ દ્વારા એનાટોમી ડીપાર્ટમેન્ટની એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડો. કટોચે આ લોકોપયોગી લેબોરેટરીનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, એઈમ્સ રાજકોટના તમામ વ્યકિતના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત કાર્યશીલ છે, તેના ભાગ સ્વરુપે એઈમ્સ ખાતે એન્થ્રોપોલોજી લેબોરેટરી કાર્યરત બનતા દર્દીઓના નિદાન – સારવાર સુવિધામાં વધારો થશે.

અજાણી અસ્થીઓમાં રહેલા રહસ્યો પણ જાણી શકાશે

એનાટોમી ડીપાર્ટમેન્ટના વડા ડો. સિમ્મી મેહરાએ આ લેબોરેટરી અંગે માહિતી આપતાં કહ્યુ કે એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીમાં આધુનિક તેમજ પરંપરાગત સાધનોની મદદથી માનવ શરીરના અલગ અલગ મેઝરમેન્ટ લઈ બોડી કમ્પોઝીશન અને વિવિધ ગણતરી કરવામાં આવે છે. જેમકે સ્કીન ફોલ્ડ થીકનેસ, બી.એમ.આઈ, બોડી ફેટ વગેરે. સેન્ટર ઓફ ડીસીઝ કન્ટ્રોલ અને પ્રીવેન્શન મુજબ હાલના સમયમાં બાળકોમાં જોવા મળતા કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશન જેવા રોગોના નિદાનમાં એન્થ્રોપોમેટ્રી સહાયક થશે.

આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં પણ પોષણની સ્થિતિ જાણી શકાશે. એન્થ્રોપોમેટ્રી રમતવીરોની ફિટનેસ ટ્રેનિંગમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ફોરેન્સિક મેડીસીનની મદદથી આ જ લેબોરેટરીમાં અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્યો જાણી શકાશે જે પોલીસને ઘણા ગુનાઓ ઉકેલવામાં મદદરુપ સાબિત થશે.

AIIMS મહત્તમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે – CDS કટોચ

ડો. સી.ડી.એસ. કટોચે ઉમેર્યું હતું કે આવતી કાલનું ભવિષ્ય તેવા બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દરેક બાળકના એન્થ્રોપોમેટ્રીક મેઝરમેન્ટ નિયમિત થવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એઈમ્સ ખાતે ટેલિમેડીસીન સેવા ઉપરાંત તાજેતરમાં ફેફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતા મશીન “બોડી પ્લેથિસ્મોગ્રાફી” તેમજ ફેફસા અને હૃદયને લગતા રોગના નિદાન માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં કેમ્પના આયોજન થકી એઈમ્સ હોસ્પિટલ મહત્તમ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, તેમ પણ કટોચે જણાવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, 19 વર્ષિય યુવકને કાર્ડિયાક અરેસ્ટ આવતા નિપજ્યું મોત

ઑક્ટોબર મહિનામાં પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ

31 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીએ AIIMS રાજકોટનું ખાત મહુરત કર્યું હતું.1100 કરોડથી વધુના ખર્ચે AIIMSનું રાજકોટના પરાપીપળીયા ખાતે નિર્માણ થઈ રહ્યું છે. AIIMSનું 65% થી વધુ કામ હાલ પૂર્ણ થયું છે અને આ વર્ષના ઓક્ટોબર મહિનામાં પીએમ મોદી લોકાર્પણ કરશે તેવી શક્યતા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ પણ AIIMSના ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">