AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા

. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો

Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા
Rajkot Cumin Market
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 15, 2022 | 4:57 PM
Share

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ પહોંચ્યો છે.આજે માર્કેટીંગ યાર્ડમાં જીરૂના એક મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે લાભ થયો છે.નિષ્ણાંતોનું કહેવું છે કે જીરૂનો ભાવ વિક્રમજનક છે અને બજારની જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા હજુ ભાવ વધી શકે છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો જે બાદ તેમાં મંગળવારે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે ગઇકાલે ફરી 100 રૂપિયાનો વધારો થયો હતો અને આજે ફરી 100 રૂપિયાના વઘારા સાથે મણના ભાવ 5300 રૂપિયા પહોચ્યા છે.આજે 5350 રૂપિયા ભાવ પહોંચ્યો છે જે ઓલટાઇમ હાઇ છે.

ઉત્પાદન ઓછું હોવાથી ડિમાન્ડ વધી

આ અંગે અતુલ કામણીએ વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે જીરૂનો પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે વર્ષ દરમિયાન જીરૂનું જરૂરિયાત મુજબનું ઉત્પાદન થયું ન હતું.આ વર્ષે પણ જીરૂની આવક ખૂબ જ ઓછી છે જેના કારણે જે પણ હાજર સ્ટોક રહેલો છે તેની ડિમાન્ડ જોવા મળી રહી છે અને તેના પુરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં જીરૂનો ભાવ હજુ પણ વધારે પહોંચે તો નવાઇ નહિ…

માવઠાંને કારણે યાર્ડમાં આવેલી જણસીઓને સલામત સ્થળે રખાઇ

એક તરફ માર્કેટીંગ યાર્ડમાં મગફળી,કપાસ અને જીરૂ સહિતના જણસીની આવક થઇ રહી છે અને બીજી તરફ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે ત્યારે ખેડૂતો અને વેપારીઓનું જણસીને નુકસાન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.હાલમાં મગફળીનો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો છે જેને જો વરસાદ આવે તો ઢાંકી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને પણ બે ત્રણ દિવસ પોતાની જણસી યોગ્ય રીતે ઢાંકીને રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">