AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા

. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો

Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા
Rajkot Cumin Market
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 15, 2022 | 4:57 PM
Share

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ પહોંચ્યો છે.આજે માર્કેટીંગ યાર્ડમાં જીરૂના એક મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે લાભ થયો છે.નિષ્ણાંતોનું કહેવું છે કે જીરૂનો ભાવ વિક્રમજનક છે અને બજારની જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા હજુ ભાવ વધી શકે છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો જે બાદ તેમાં મંગળવારે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે ગઇકાલે ફરી 100 રૂપિયાનો વધારો થયો હતો અને આજે ફરી 100 રૂપિયાના વઘારા સાથે મણના ભાવ 5300 રૂપિયા પહોચ્યા છે.આજે 5350 રૂપિયા ભાવ પહોંચ્યો છે જે ઓલટાઇમ હાઇ છે.

ઉત્પાદન ઓછું હોવાથી ડિમાન્ડ વધી

આ અંગે અતુલ કામણીએ વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે જીરૂનો પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે વર્ષ દરમિયાન જીરૂનું જરૂરિયાત મુજબનું ઉત્પાદન થયું ન હતું.આ વર્ષે પણ જીરૂની આવક ખૂબ જ ઓછી છે જેના કારણે જે પણ હાજર સ્ટોક રહેલો છે તેની ડિમાન્ડ જોવા મળી રહી છે અને તેના પુરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં જીરૂનો ભાવ હજુ પણ વધારે પહોંચે તો નવાઇ નહિ…

માવઠાંને કારણે યાર્ડમાં આવેલી જણસીઓને સલામત સ્થળે રખાઇ

એક તરફ માર્કેટીંગ યાર્ડમાં મગફળી,કપાસ અને જીરૂ સહિતના જણસીની આવક થઇ રહી છે અને બીજી તરફ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે ત્યારે ખેડૂતો અને વેપારીઓનું જણસીને નુકસાન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.હાલમાં મગફળીનો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો છે જેને જો વરસાદ આવે તો ઢાંકી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને પણ બે ત્રણ દિવસ પોતાની જણસી યોગ્ય રીતે ઢાંકીને રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">