AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ:ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન, કૃષિમંત્રીએ કહ્યુ ખાતરની ક્યાંય અછત નથી

Rajkot: રાજ્યના કેટલાક જિલ્લામાં ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન છે. આ અંગે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે કોઈપણ સ્થળે ખાતરની અછત નથી જ્યાં નથી જથ્થો પહોંચ્યો નથી ત્યાં ઝડપથી પહોંચાડવામાં આવશે.

રાજકોટ:ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન, કૃષિમંત્રીએ કહ્યુ ખાતરની ક્યાંય અછત નથી
રાઘવજી પટેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 11:57 PM
Share

હાલમાં જ રાજ્યના અનેક જીલ્લાઓમાંથી ખાતર ન હોવાની ફરિયાદ ઉઠી હતી. અને એ સાથે જ કેટલાક ગામોમાં વીજળી પણ રાત્રે મળતી હોવાથી ખેડૂતો પરેશાન હતા. જોકે તેમની સમસ્યાનું જલ્દી જ નિરાકરણ આવી જશે. પહેલાં પંચમહાલ અને ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. મોડાસાના ખાતર કેન્દ્રો પર ખાતર નહી હોવાના બોર્ડ લાગતા ખેડૂતો પરેશાન થયા હતા.

રાજ્યમાં ક્યાંય ખાતરની અછત નથી, મંડળીઓ દ્વારા માગ મોડી કરાઈ- રાઘવજી પટેલ

જોકે આ તરફ રાજ્ય સરકારે આ વાતની નોંધ ગંભીરતાથી લીધી છે. રાજ્યમાં ખાતરની અછત હોવાની ચર્ચા અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે. રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં કોઇ પણ સ્થળે ખાતરની કોઇ અછત નથી. રાજ્ય સરકાર પાસે રવી સિઝન માટે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ તેમણે કહ્યું કે જે મંડળીઓએ ખાતરની મોડી માગ કરી હતી ત્યાં ખાતરની અછત હોઇ શકે છે.જ્યાં પણ ખાતરની અછત છે ત્યાં ઝડપથી જથ્થો પહોંચાડવામાં આવશે.

રાત્રે વીજળી પૂરવઠો અપાતો હોવાથી ખેડૂતો પરેશાન

ખાતરની સાથે સાથે ખેડૂતોની બીજી કોઈ સમસ્યા હોય તો એ છે દિવસના બદલે રાત્રે અપાતી વીજળી. રાજ્યના કેટલાય એવા ગામો છે જ્યાં ખેડૂતોએ આ કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવા જવું પડે છે. આ સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 ઓગસ્ટ 2021ના દિવસે કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામોમાં દિવસે વીજળી મળતી થઈ જશે. પરંતુ હકીકત એ છે કે તમામ ગામો તો દૂર પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલા 3 જિલ્લાના 1055 ગામોમાં પણ આજે ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી..

આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે વીજળીની આ સમસ્યા અંગે ગુજરાત સરકારે કામગીરી ક્યારની શરૂ કરી દીધી છે પરંતુ કામ મોટું હોવાથી તેમાં સમય લાગી રહ્યો હોવાનો સ્વિકાર કર્યો છે. જો સરકાર જે કહે છે તેમ હોય તો ખેડૂતોની ખાતર અને વીજળીને લગતી સમસ્યા હવે થોડા સમયમાં જ દૂર થઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">