AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ:ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન, કૃષિમંત્રીએ કહ્યુ ખાતરની ક્યાંય અછત નથી

Rajkot: રાજ્યના કેટલાક જિલ્લામાં ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન છે. આ અંગે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે કોઈપણ સ્થળે ખાતરની અછત નથી જ્યાં નથી જથ્થો પહોંચ્યો નથી ત્યાં ઝડપથી પહોંચાડવામાં આવશે.

રાજકોટ:ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન, કૃષિમંત્રીએ કહ્યુ ખાતરની ક્યાંય અછત નથી
રાઘવજી પટેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 11:57 PM
Share

હાલમાં જ રાજ્યના અનેક જીલ્લાઓમાંથી ખાતર ન હોવાની ફરિયાદ ઉઠી હતી. અને એ સાથે જ કેટલાક ગામોમાં વીજળી પણ રાત્રે મળતી હોવાથી ખેડૂતો પરેશાન હતા. જોકે તેમની સમસ્યાનું જલ્દી જ નિરાકરણ આવી જશે. પહેલાં પંચમહાલ અને ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. મોડાસાના ખાતર કેન્દ્રો પર ખાતર નહી હોવાના બોર્ડ લાગતા ખેડૂતો પરેશાન થયા હતા.

રાજ્યમાં ક્યાંય ખાતરની અછત નથી, મંડળીઓ દ્વારા માગ મોડી કરાઈ- રાઘવજી પટેલ

જોકે આ તરફ રાજ્ય સરકારે આ વાતની નોંધ ગંભીરતાથી લીધી છે. રાજ્યમાં ખાતરની અછત હોવાની ચર્ચા અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે. રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં કોઇ પણ સ્થળે ખાતરની કોઇ અછત નથી. રાજ્ય સરકાર પાસે રવી સિઝન માટે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ તેમણે કહ્યું કે જે મંડળીઓએ ખાતરની મોડી માગ કરી હતી ત્યાં ખાતરની અછત હોઇ શકે છે.જ્યાં પણ ખાતરની અછત છે ત્યાં ઝડપથી જથ્થો પહોંચાડવામાં આવશે.

રાત્રે વીજળી પૂરવઠો અપાતો હોવાથી ખેડૂતો પરેશાન

ખાતરની સાથે સાથે ખેડૂતોની બીજી કોઈ સમસ્યા હોય તો એ છે દિવસના બદલે રાત્રે અપાતી વીજળી. રાજ્યના કેટલાય એવા ગામો છે જ્યાં ખેડૂતોએ આ કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવા જવું પડે છે. આ સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 ઓગસ્ટ 2021ના દિવસે કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામોમાં દિવસે વીજળી મળતી થઈ જશે. પરંતુ હકીકત એ છે કે તમામ ગામો તો દૂર પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલા 3 જિલ્લાના 1055 ગામોમાં પણ આજે ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી..

આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે વીજળીની આ સમસ્યા અંગે ગુજરાત સરકારે કામગીરી ક્યારની શરૂ કરી દીધી છે પરંતુ કામ મોટું હોવાથી તેમાં સમય લાગી રહ્યો હોવાનો સ્વિકાર કર્યો છે. જો સરકાર જે કહે છે તેમ હોય તો ખેડૂતોની ખાતર અને વીજળીને લગતી સમસ્યા હવે થોડા સમયમાં જ દૂર થઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">