Breaking News: ખાદ્યતેલના ભાવમાં ફરીવાર ઝીંકાયો વધારો, ઘરેલુ બજેટ પર વધશે ભાર, જાણો કેટલો વધારો થયો

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી એકવાર ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે.

Breaking News: ખાદ્યતેલના ભાવમાં ફરીવાર ઝીંકાયો વધારો, ઘરેલુ બજેટ પર વધશે ભાર, જાણો કેટલો વધારો થયો
| Edited By: | Updated on: Jul 15, 2026 | 9:19 AM

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી એકવાર ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે બજારમાં આ તેજી જોવા મળી રહી છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સૌથી વધુ વધારો

નવી કિંમતો મુજબ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં એક ડબ્બાનો ભાવ રૂ. 2,820 સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો નોંધાતા તેનો ભાવ રૂ. 2,670 થયો છે. આ ઉપરાંત સાઇડ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર તેની અસર જોવા મળી રહી છે.

સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ તેજી

માત્ર સિંગતેલ અને કપાસિયા તેલ જ નહીં પરંતુ સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ રૂ. 10થી 30 સુધીનો વધારો નોંધાયો છે. વિવિધ બ્રાન્ડ અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બજારમાં સતત વધી રહેલી માંગને કારણે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ કારણોસર વધી રહ્યા છે ભાવ

વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અનિયમિત વરસાદને કારણે તેલીબિયાંના પાક પર અસર પડી છે. બીજી તરફ બિયારણની વધતી માંગ, કાચા માલની ઉપલબ્ધિમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે આયાત-નિકાસ ખર્ચમાં વધારો થયો છે. આ તમામ પરિબળોની સીધી અસર ખાદ્યતેલના ભાવ પર પડી રહી છે.

સામાન્ય પરિવારોના બજેટ પર વધશે ભાર

ખાદ્યતેલના વધતા ભાવનો સૌથી વધુ ફટકો મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારોને પડી રહ્યો છે. રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓમાં ખાદ્યતેલ મહત્વનું સ્થાન ધરાવતું હોવાથી તેના ભાવ વધતા ઘરખર્ચમાં વધારો થશે. જો આગામી સમયમાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા બજારના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’

Follow Us