AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા

ખોડલ ધામ ખાતે નરેશ પટેલ સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયાની બેઠક યોજાઈ હતી, બેઠક બાદ પાસ નેતાએ જણાવ્યું કે કેસ પાછા ખેચવા બાબતે થયેલ કામગીરી બબતે સરકાર સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.

Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા
Meeting between pass protagonist and Naresh Patel completed at Khodal Dham
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 2:23 PM
Share

લેઉવા પાટીદારોના આસ્થાના સ્થળ ગણાતા કાગવડ (Kagvad) ખાતે આવેલાં ખોડલ ધામ (Khodal Dham) ખાતે નરેશ પટેલ (Naresh Patel)  સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર (Patidar) આંદોલન દરમિયાન કરાયેલા કેસ પાછા ખેંચવાને અને આંદોલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને નોકરી આપવા બાબતે ચર્ચા થઈ હતી.

ખોડલ ધામ ખાતે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ પાસના અલ્પેશ કાથીરિયાએ જણાવ્યું હતું કે બેઠકમાં પાટીદાર આંદોલનને લઈને કરાયેલા તમામ કેસ પાછા ખેંચવા બાબતે સરકારને રજૂઆત કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત શહિદના પરિવારજનોને નોકરી આપવા બાબતે પણ ચર્ચા થઈ હતી.

પાસના નેતાએ જણાવ્યું કે નરેશ પટેલ અને આગેવાનોની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. અગાઉ કેસો પરત ખેંચવા મામલે સરકારે આપેલો 3 મહિનાનો સમય આગામી 6 માર્ચે પુર્ણ થાય છે. જેથી 3 મહિનામાં સરકાર દ્વારા આ બાબતે થયેલ કામગીરીની સરકાર સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.

પાસના નેતાએ એમ પણ કહ્યું કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પાસ અગેવાનોની મીટિંગ મળશે. ત્યાર બાદ આગામી કાર્યકર્મોની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનો આપવામાં આવશે. સત્તામાં બેઠેલા પક્ષના નેતાઓને ગુલાબ આપવામાં આવશે.

આમ આદમીના પ્રવીણ રામ પણ નરેશ પટેલને મળ્યા

ગઈકાલે આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે રાજકોટ આવ્યા હતા. મુલાકાત બાદ પ્રવીણ રામે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજ સેવાની વાત થઈ હતી. પાર્ટીમાંથી જતા રહ્યા તેઓએ અત્યાર સુધી સમય આપ્યો એ પણ ખૂબ જ સારી વાત છે, નરેશ પટેલ અમારી પાર્ટીમાં જોડાઈ તો અમારા માટે ગર્વની વાત કહેવાય.

આ પણ વાંચોઃ અમદાવાદ : અમદાવાદનો 600મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

આ પણ વાંચોઃ અમદાવાદના ધબકતુ દિલ માણેકચોકનું નામ આ રીતે પડ્યુ, જાણો શું છે તેનો ઇતિહાસ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">