Rajkot : રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પર સરકારનું કડક વલણ, ડોકટરો આક્રમક મૂડમાં
આ ડોકટરોએ કહ્યું કે જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કાર્યવાહીની વાત કરો છો. તેમજ જ્યાં સુધી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
ગુજરાત(Gujarat ) માં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરો(Doctors) ની હડતાળ આક્રમક બની રહી છે . જેમાં સરકારે એક તરફ આ ડોકટરોની હડતાળ તોડવા માટે પ્રયત્ન કરી રહી છે. જેમાં રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપી છે. જેમાં રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. જેમાં રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે સતત ત્રીજા દિવસે ડોક્ટરોના ધરણા ચાલુ છે. તેમજ જો માંગણી નહિ સંતોષાય તો આગામી સોમવારથી આંદોલન ઉગ્ર બનશે આ ડોકટરોએ કહ્યું કે જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કાર્યવાહીની વાત કરો છો. તેમજ જ્યાં સુધી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
આ પણ વાંચો : Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર
Published on: Aug 07, 2021 11:47 AM
