કોરોનાનો ટેસ્ટ કરવામાં ઘણા તબીબો બેદરકારી દાખવી રહ્યા છે. આવા જ બેદરકાર ડૉક્ટર્સના કારણે રાજકોટમાં એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દર્દીને શરદી અને તાવ જેવા લક્ષણો હોવા છતાં તબીબોએ તેનો કોરોના ટેસ્ટ કરવાને બદલે સામાન્ય દવા આપીને જ કામ ચલાવી લીધુ હતું. જેને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશન તંત્રએ બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહી કરી છે. ડૉ. ભગવાનજી પટેલ, ડૉ. ઋષિરાજ જોષી, ડૉ. કિશોર બોડા અને ડૉ. સંજય ભટ્ટને નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાઃ મહાઠગ હર્ષિલ લીંબાચિયાની પોલીસે કરી ધરપકડ, GEBમાં નોકરી અપાવવાનું કહી યુવકો સાથે કરી ઠગાઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો