રાજકોટના રેલનગર વિસ્તારમાં ગટરની પાઇપલાઇન તૂટી જતાં સ્થાનિકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા. સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે ધડાકાભેર પાઈપલાઇન તૂટી ગઈ હતી અને ચોમાસામાં પાણી ભરાય તેમ પાણી ભરાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસે સમગ્ર મામલે ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો. આ તરફ બનાવની જાણ થતાં ઈન્ચાર્જ મ્યુનિસીપલ કમિશ્નર સી.કે.નંદાણી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સાફ સફાઈ અને પાઈપલાઈન રિપેરીંગની કાર્યવાહી તાત્કાલિત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. નંદાણીએ પાઈપલાઈન તૂટવાનું કારણ ટેક્નીકલ હોવાનું જણાવ્યું હતુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો