આપણે ત્યાં એક કહેવત છે ‘એક સારું પુસ્તક 100 વ્યક્તિની ગરજ સારે’ છે. લગ્ન બાદ સાસરીયે જતી વખતે દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગારની વસ્તુઓ માંગતી હોય છે અને માં બાપ દીકરીની તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરતા હોય છે. પરંતુ રાજકોટમાં એક દીકરીએ પોતાના માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી અને પિતાએ પણ દીકરીને કરિયાવરમાં ગાડુ ભરીને પુસ્તકો આપ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દિકરીના લગ્ન હોય એટલે દરેક માં બાપને તેના કરિયાવારમાં સોના ચાંદીના આભૂષણ, રાચરચીલુ આપવાની ઈચ્છા હોય છે, પરંતુ રાજકોટના જાડેજા પરિવારના લગ્નમાં પુસ્તકનો કરિયાવાર જોવા મળ્યો હતો. પુત્રી કિન્નરીબાને પિતા હરદેવસિંહે 2,400થી વધારે પૂસ્તકો અને એ પણ દેશના અલગ અલગ ખૂણામાંથી લાવીને કરિયાવાર રૂપે આપ્યા હતા અને કારણ કે સાસરે જતી દિકરીએ પિતા પાસે પોતાના વજન ભારોભાર પુસ્તકો કરિયાવારમાં આપવાની માંગ કરી હતી. જેના કારણે પિતાએ ગાડા ભરીને પુસ્તકો આપ્યા હતા.
કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે. ત્યારે તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજમાં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે. જેથી કિન્નરીબાની લાગણીને માન આપીને દિલ્હી, કાશી, બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી ફરીને તેમના પિતા હરદેવસિંહે દીકરી માટે પુસ્તકો એકઠા કર્યા છે. ત્યારે આ 2,400 પુસ્તકો પૈકી કિન્નરી બા પોતાના સાસરે કેનેડા મનગમતા પુસ્તકો લઈ જશે. જ્યારે કે બાકીના પુસ્તકો તેઓ જુદી જુદી શાળાઓમાં ભેટ આપશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સોશિયલ મિડીયાના આ જમાનામાં જ્યારે વાંચન વૃત્તિ આપણા સમાજમાંથી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. ત્યારે કિન્નરી બા જેવા લોકો પણ છે કે જે લગ્ન પ્રસંગે કરિયાવરમાં સોનાના દાગીનાની જગ્યાએ પોતાના માતા પિતા પાસે વજનના ભારોભાર પુસ્તકની માંગણી કરી સમાજને એક નવી રાહ ચીંધી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]