કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયેલ ગુજરાતની મુલાકાતે છે. જેના ભાગરૂપે તેઓએ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ કેવડિયાખાતે તૈયાર થઇ રહેલા રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત કરી હતી. જ્યાં નિર્માણાધીન રેલવે સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ
મહત્વપૂર્ણ છે કે કેવડિયાખાતે કેન્દ્ર સરકારની ગ્રાંટમાંથી ગ્રીન રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. આ પ્રસંગે હાજર રહેલા રેલવે પ્રધાન પીયુષ ગોયેલે આશા પ્રગટ કરી હતી કે આગામી માર્ચ મહિના સુધીમાં રેલવે લાઇન માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ જશે. અને દોઢ વર્ષમાં નર્મદા રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે. જેના માધ્યમથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સરળતાથી પહોંચી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો