રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન બાદ રાજકોટમાં કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યુ આવેદનપત્ર- જુઓ Video

રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન બાદ રાજકોટમાં કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યુ આવેદનપત્ર- જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2024 | 8:03 PM

રાજા-મહારાજાઓને જે જમીનો જોઈએ તે તેઓ લઈ લેતા હતા એ પ્રકારના નિવેદન બાદ કરણીસેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યુ છે. અને રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરી છે. કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ રાહુલના નિવેદનને વખોડ્યુ છે.

રાજકોટ કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યુ છે અને રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરી છે. કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે સમાજ પરશોત્તમ રૂપાલાનો વિુરોધ કરે તો રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જોઈએ. સમાજની બહેન બેટીઓની સાથે બાપ- દાદા પણ એટલા જ મહત્વના હોવાનુ ભૂપતસિંહે જણાવ્યુ છે. વધુમાં તેમણે કહ્યુ કે કોંગ્રેસે રાજા રજવાડા માટે સારા શબ્દો બોલ્યા નથી. રાહુલ ગાંધીએ તેમના નિવેદન બદલ માફી માગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થયુ છે જેમા તેઓ બોલી રહ્યા છે કે રાજા મહારાજાઓ તેમને જે મનમાં આવે તે કરતા હતા, કોઈની જમીન જોઈએ તો જમીન લઈ લેતા હતા.

આ મુદ્દે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે રાજા મહારાજાઓએ આ દેશની અખંડિતા માટે તેમના રજવાડાઓ દેશને નામ કરી દીધા હતા. ત્યારે રાહુલ ગાંધીએ આવુ કહી રાજા-મહારાજાઓનુ અપમાન કર્યુ છે.

આ પણ વાંચો: ક્ષત્રિયોનો જામનગરમાં સતત વધતો વિરોધ, શું પૂનમ માડમ લગાવી શકશે જીતની હેટ્રિક? વાંચો આંદોલનથી ભાજપને કેટલુ થઈ શકે નુકસાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો