બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય, પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા. કળકળતી ઠંડીમાં બહાર બેસીને પરીક્ષાર્થીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.
પરીક્ષાર્થીઓના આકરા વલણને જોતા સરકારે વલણ કૂણું કર્યું છે. આજે ગાંધીનગર SP મયુર ચાવડા પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. SPએ વિદ્યાર્થી નેતાને સરકાર સાથે રજૂઆત કરવા આમંત્રિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ પરીક્ષાર્થી નેતાઓની સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરાવ્યા બાદ તેઓ વિદ્યાર્થી નેતાઓને પાછા લઈ આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
SPના આમંત્રણ બાદ પરીક્ષાર્થી નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર તેમની રજૂઆત કરવા માટે સરકારના પ્રતિનિધિને મળવા જાય છે. તેઓ તેમની પરીક્ષા રદ કરવાની જે માગ છે તેના પર અડગ છે અને આ મુદ્દે તેઓ સરકાર સાથે કોઈ સમાધાન નહીં કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો