AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ પ્રદેશ અધ્યક્ષને CRPF અને આર્મી વચ્ચેનો ભેદ જ નથી ખબર, CRPF ચીફના બદલે આર્મી ચીફને લખી નાખ્યો પત્ર અને કરી નાખી મોટી ભૂલ 

દેશભરમાં જે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. તેને જોતા લાગે છે કે નાગરિકોમાં શહીદો અને તેમના પરિવારજનો માટે ઘણું દુખ છે. ત્યારે બીજેપી હવે સમગ્ર રાજ્યમાં ત્યારે બીજપી પોસ્ટ કાર્ડ અભિયાન શરુ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ એક પોસ્ટ કાર્ડ મારફતે આર્મી ચીફના દિલ્હીના એડ્રેસ ઉપર શહીદોના બહાદુરીને વિરદાવવાનો અભિયાન શરુ કર્યો છે. […]

ભાજપ પ્રદેશ અધ્યક્ષને CRPF અને આર્મી વચ્ચેનો ભેદ જ નથી ખબર, CRPF ચીફના બદલે આર્મી ચીફને લખી નાખ્યો પત્ર અને કરી નાખી મોટી ભૂલ 
Anil Kumar
| Edited By: | Updated on: Feb 17, 2019 | 2:37 PM
Share

દેશભરમાં જે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. તેને જોતા લાગે છે કે નાગરિકોમાં શહીદો અને તેમના પરિવારજનો માટે ઘણું દુખ છે. ત્યારે બીજેપી હવે સમગ્ર રાજ્યમાં ત્યારે બીજપી પોસ્ટ કાર્ડ અભિયાન શરુ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ એક પોસ્ટ કાર્ડ મારફતે આર્મી ચીફના દિલ્હીના એડ્રેસ ઉપર શહીદોના બહાદુરીને વિરદાવવાનો અભિયાન શરુ કર્યો છે. તેઓએ પોતે એક પોસ્ટ કાર્ડ લખ્યુ અને બીજેપીના કાર્યર્તાઓ અને સાથે સામાન્ય નાગરિકોને પણ આવા પોસ્ટ કાર્ડ લખીને જવાનોની પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની અપીલ કરી. તેઓએ કઇ રીતે પોસ્ટ કાર્ડ લખવો અને આર્મીના કયા એડ્રેસ ઉપર આ મોકલવુ તે પણ દર્શાવ્યુ હતું, પણ તમે ભલે આર્મીને આ પત્ર મોકલો.

આર્મીની સાથે સીઆરપીએફને પણ લખો પોસ્ટ કાર્ડ

જીતુભાઇ વાધાણીએ એડ્રેસ પણ આપ્યું જેમાં આર્મી ચીફ, આર્મી હેડક્વાર્ટર, સાઉથ બ્લોક,ડીએચક્યુ , પી ઓ, નવી દિલ્હી , 110011નો ઉલ્લેખ કરાયો.

આ પણ વાંચો : IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ

પણ લાગે છે કે શહીદોની શ્રદ્ધાંજલિમાં તેઓ આર્મી અને સીઆરપીએફ વચ્ચેનો તફાવત ભુલી ગયા. સાથે તેમને યાદ અપાવી દઇએ કે શહીદ થયેલા જવાનો સીઆરપીએફના હતા તેમને ભારત સરકાર શહીદનો દરજ્જો આપતી નથી. પણ જીતુ ભાઇને એ સુઝતુ નથી, કે પોતાની સરકારને સીઆરપીએફના જવાનોને શહીદીનો દરજ્જો આપવા પોસ્ટ કાર્ડ લખે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણીને યાદ રાખવાની જરુર છે કે આર્મીને પત્ર લખો તેમા કોઇને વાંધો નથી, પણ સીઆરપીએફના ડીજીને પણ પત્ર લખીને વિરદાવવામાં આવે તે જરુરી છે.

જાણો ક્યું છે સાચું એડ્રેસ

જો નાગરિકોને સાચેજ શહીદોને વિરદાવવુ હોય તો આ એડ્રેસ ઉપર પણ એક પોસ્ટ કાર્ડ જરરુ લખજો, સીઆરપીએફ ડીરેક્ટોરેટ સીજીઓ કોમ્પલેક્ષ, પ્રગતિ વિહાર નવી દિલ્હી 110003

[yop_poll id=1532]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">