અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. સાથે જ પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ પણ કરી છે. જણાવવું રહ્યું કે આગની ઘટનામાં ગીરીશ ચાવડાના ભાઈ-ભાભીના મોત થયા બાદ પરિવારજનોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો