ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને
ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં […]
ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે.
છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબ્બાદીઠ 350 જેટલો વધારો નોંધાયો છે. ઓઈલ મિલરોનુ અનુમાન છે કે જે રીતે ચીનમાં સિંગતેલની નિકાસ થઈ રહી છે તે જોતા સિંગતેલનો ભાવ ડબ્બે 3000 થાય તો નવાઈ નહી. જો કે કેટલાક વેપારીઓનુ માનવુ છે કે, મગફળીનુ વિક્રમી વાવેતર થયુ હતું. પરંતુ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદથી મગફળીના પાકને મોટુ નુકસાન થયુ છે. પરિણામે મગફળીના પાકની જે ધારણા હતી તે ના જળવાતા ભાવમાં વધારો નોંધાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો