Gujarati NewsGujaratPanam dam chholchal chhta unada ma kheduto e sinchai maate paani nahi apaya
પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, 132 ગામોને પાણી નહીં આપવાનાં નિર્ણયથી ખેડુતોમાં ચિંતા
પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, આ નિર્ણય પાનમ સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. હાલ પાનમ ડેમની જળસપાટી 125.80 મીટર છે જ્યારે તેની ભયજનક જળસપાટી 127.41 મીટર છે. મહત્વપૂર્ણ છે કે હાલ પાનમ ડેમ આધારિત મુખ્ય કેનાલ મારફતે 132 ગામોની 36 હજાર 400 હેક્ટર ખેતીલાયક જમીનમાં સિંચાઇ […]
Follow us on
પાનમ ડેમ છલોછલ છતાં ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે ડેમમાંથી પાણી નહીં અપાય, આ નિર્ણય પાનમ સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. હાલ પાનમ ડેમની જળસપાટી 125.80 મીટર છે જ્યારે તેની ભયજનક જળસપાટી 127.41 મીટર છે. મહત્વપૂર્ણ છે કે હાલ પાનમ ડેમ આધારિત મુખ્ય કેનાલ મારફતે 132 ગામોની 36 હજાર 400 હેક્ટર ખેતીલાયક જમીનમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે જોકે ઉનાળામાં સિંચાઇ માટે આ તમામ 132 ગામોને પાણી નહીં આપવામાં આવે ત્યારે આ નિર્ણયે અત્યારથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે