પાલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની માટી બેસી જતા મંગલમુર્તિ એપાર્ટમેન્ટના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા, કોર્પોરેશને કામચલાઉ ધોરણે પુરાણ કરીને કાગળ પર કામગીરી બતાવી દીધી હોવાનો આક્ષેપ

|

Oct 02, 2020 | 2:31 PM

ચોમાસુ વિધિવત રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે હજીપણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા મંગલમુર્તિ એપાર્ટમેન્ટની બહારનો જાહેર રસ્તો બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ […]

પાલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની માટી બેસી જતા મંગલમુર્તિ એપાર્ટમેન્ટના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા, કોર્પોરેશને કામચલાઉ ધોરણે પુરાણ કરીને કાગળ પર કામગીરી બતાવી દીધી હોવાનો આક્ષેપ

Follow us on

ચોમાસુ વિધિવત રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે હજીપણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા મંગલમુર્તિ એપાર્ટમેન્ટની બહારનો જાહેર રસ્તો બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આમ તો ડ્રેનેજ લાઈનના આ માટી બેસવાની શરૂઆત 25 સપ્ટેમ્બરથી જ થઈ હતી. તે સમયે પણ એપાર્ટમેન્ટના સ્થાનિકોએ કોર્પોરેશનમાં જાણ કરી હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા માટી નાંખીને કામચલાઉ ધોરણે પુરાણ કરી દઈને કાગળ પર કામગીરી બતાવી દીધી હતી.

પણ એ પછી આજે બિલ્ડીંગના કમ્પાઉન્ડ વોલની દીવાલ સુધી આ રસ્તો બેસવાનું શરૂ થતાં લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર ઉષા પટેલ સહિત અધિકારીઓની ટીમ પણ આ બિલ્ડીંગ અને રસ્તાના નિરીક્ષણ માટે આવી પહોંચી છે.

ડ્રેનેજ લાઈનની માટી ધસવાનું કારણ શોધીને અને તેના રીપેરીંગ માટેની તજવીજ હવે હાથ ધરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article