ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા

|

Jan 20, 2020 | 1:34 PM

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરીષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સંપ્રદાયના ઇતિહાસમાં એક જ ગુરૂના એક સાથે 55 પાર્ષદોને આચાર્ય મહારાજે દિક્ષા આપી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાયો હતો. આ પણ વાંચોઃ […]

ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા

Follow us on

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરીષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સંપ્રદાયના ઇતિહાસમાં એક જ ગુરૂના એક સાથે 55 પાર્ષદોને આચાર્ય મહારાજે દિક્ષા આપી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના રંગપુર ગામમાં સરપંચ અને અરજદાર વચ્ચે બોલાચાલીનો VIDEO વાયરલ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી પર પદારૂ઼ઢ થયાના ૧૭ વર્ષ દરમિયાન તેમણે ૬૭૭ ઉપરાંત પાર્ષદોને સંત દિક્ષા આપી છે. વડતાલ મંદિરના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પાર્ષદોને યજ્ઞોપવિત, કંઠી પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપી નવું નામ ધારણ કરાવ્યું હતું. સૌ પાર્ષદોને ભાગવતી દિક્ષા બાદ આચાર્ય મહારાજ સૌ સંતો સાથે વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત ધર્મભક્તિ વાસુદેવના દર્શન કરી સભામાં પધાર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article