Vadodara : સાવલીના પીલોલ ગામે દલિત પરિવાર સાથે ઘટેલી ઘટના મામલે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં, જાણો વિગત

વડોદરા જિલ્લાના સાવલીના પીલોલ ગામમાં દલિત મહિલાને ગરબા ન ગાવા દેવાની તેમજ માતાજીની ચોકથી હાંકી કાઢવાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:57 PM

વડોદરા જિલ્લાના સાવલીના પીલોલ ગામમાં બનેલી ઘટના મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું છે. મદદનીશ સમાજ સુરક્ષા અધિકારી અને વિજિલન્સ ઈન્સ્પેક્ટરની ટીમ પિલોલ ગામ પહોંચી છે. દલિત મહિલાએ ગરબા આયોજક દ્વારા ગરબા ન ગાવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. ભેદભાવની આ ઘટનામાં જેમની સાથે દુર્વ્યવહાર થયો તેમના નિવેદન લેવાયા છે. નિવેદન લીધા બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપાશે તેવી માહિતી બહાર આવી છે.

તમને જણાવી દઈએ કે પિલોલ ગામના દલિત સમાજની કેટલીક મહિલાઓ માતાજીના મંદિરમાં સવર્ણ સમાજ દ્વારા આયોજિત ગરબાં રમવા માટે પહોંચી હતી. ત્યાં મહિલાઓ ગરબે ધૂમે તે પહેલા જ અગ્રણી મહિલા દ્વારા તેમને રોકીને ત્યાંથી હાંકી કાઢવામાં આવી હતી. મહિલાએ આ વાતની જાણ પતિને કરતા મામલાએ જોર પકડ્યું હતું. અને વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. દલિત મહિલાનો આરોપ છે કે તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી માતાજીના ગરબામાં રમતા અટકાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સાવલી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પિલોલ ગામે પહોંચ્યો હતો. અને ઘટનાને થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે સાવલી પોલીસે 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર અને તારાબેન પરમારનો સમાવેશ થાય છે. જોકે ધરપકડના ડરથી આ તમામ ઇસમો ફરાર છે. જેમને શોધવા માટે સાવલી પોલીસ, એસ.ઓ.જી તથા એલ.સી.બીની 5 ટીમો બનાવવામાં આવી છે. અને આ ટીમોએ ફરાર ઇસમોને શોધવા તપાસ શરૂ કરી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. આ બાદ સમાજ કલ્યાણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Girsomnath : પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને છોડાવો, કોડીનાર મામલતદાર કચેરી ખાતે મહિલાઓના પ્રદર્શનો

આ પણ વાંચો: હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">